અંકલેશ્વર: ઉત્તર ભારતીય સમાજ દ્વારા ડૂબતા સૂર્યને અર્ઘ્ય અર્પી છઠ્ઠ પૂજાના પર્વની કરવામાં આવી ઉજવણી

અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.મહિલાઓએ જળાશયો પર પહોંચી ડૂબતા સૂર્યને અર્ઘય અર્પણ કર્યો હતો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી

  • કારતક સુદ છઠ્ઠના પર્વની ઉજવણી

  • ઉત્તરભારતીય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે

  • ડૂબતા સૂર્યને અર્પણ કરવામાં આવ્યો અર્ઘ્ય

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.મહિલાઓએ જળાશયો પર પહોંચી ડૂબતા સૂર્યને અર્ઘય અર્પણ કર્યો હતો
ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં અંકલેશ્વરમાં જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે. રોજગાર માટે અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતાં હોવાથી અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.અંકલેશ્વરમાં જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉત્તર ભારતમાં કારતક સુદ છઠ્ઠના રોજ છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે.માન્યતા અનુસાર છઠ્ઠનો તહેવાર દ્રૌપદી સાથે પણ જોડાયેલો છે.તો એવી પણ પ્રચલિત કથા છે કે જ્યારે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણને યુદ્ધમાં હરાવ્યા હતા ત્યારે રામરાજ્યના દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામે કારતક છઠ્ઠનું વ્રત કર્યું હતું અને સૂર્યદેવની પૂજા-અર્ચના કરી હતી. સપ્તમીના દિવસે સૂર્યોદય સમયે ફરી પૂજા-આરાધના કરીને સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.જેથી છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે.અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાનું સાંજનું અર્ઘ્ય આપવામાં આવ્યો હતો જયારે આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે આ પછી વ્રતના પારણાં કરવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.