New Update
-
અંકલેશ્વર નગરસેવા સદનની સામાન્ય સભા મળી
-
19 જેટલા કામો રજૂ કરવામાં આવ્યા
-
રૂ.75 લાખના માર્ગના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
-
જન્મ મરણના દાખલા અંગે વિપક્ષની ઉગ્ર રજુઆત
-
શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ કામ ન થતા હોવાના કર્યા આક્ષેપ
અંકલેશ્વર નગર સેવાસદનની સામાન્ય સભા આજરોજ મળી હતી જેમાં વિપક્ષ કોંગ્રેસે જન્મ મરણ દાખલા સહિત અન્ય બાબતોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અંકલેશ્વર નગરપાલિકાના સભા ખંડ ખાતે આજરોજ પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને સમાન્યસભા યોજાઈ હતી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનો મૌન પાળી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય જહાંગીર પઠાણે રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને રૂ. ૭૫ લાખના ખર્ચે આયકોનિક માર્ગ તરીકે વિક્સવવાના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ વિપક્ષે વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મુકાયા હતા તે ગાયબ થઇ ગયા છે અથવા તો કામ કરતા નથી તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો કર્યા હતા.
જન્મ મરણના ઓનલાઇન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાને હવાલો સોંપવા સરકારમાં કરાયેલી દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પુરજોશ વિરોધ નોંધાવ્યો હતો અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપો કર્યા હતા.
આ સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યો એ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોનું જ સાંભળતા ન હોવાની રજુઆત કરી હતી. આ સામાન્ય સભા દરમ્યાન એજેન્ડા ઉપર કુલ ૧૯ જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા જેને મંજૂરી આપવામાં આવી હતી.
Latest Stories