અંકલેશ્વર: નગર સેવા સદનની સામાન્ય સભા યોજાય, વિપક્ષ સહિત શાસક પક્ષના સભ્યએ પણ કામ ન થતા હોવાના કર્યા આક્ષેપ

પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને સમાન્યસભા યોજાઈ હતી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનો મૌન પાળી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

New Update
  • અંકલેશ્વર નગરસેવા સદનની સામાન્ય સભા મળી

  • 19 જેટલા કામો રજૂ કરવામાં આવ્યા

  • રૂ.75 લાખના માર્ગના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • જન્મ મરણના દાખલા અંગે વિપક્ષની ઉગ્ર રજુઆત

  • શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ કામ ન થતા હોવાના કર્યા આક્ષેપ

અંકલેશ્વર નગર સેવાસદનની સામાન્ય સભા આજરોજ મળી હતી જેમાં વિપક્ષ કોંગ્રેસે જન્મ મરણ દાખલા સહિત અન્ય બાબતોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અંકલેશ્વર નગરપાલિકાના સભા ખંડ ખાતે આજરોજ પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને સમાન્યસભા યોજાઈ હતી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનો મૌન પાળી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય જહાંગીર પઠાણે રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને રૂ. ૭૫ લાખના ખર્ચે આયકોનિક માર્ગ તરીકે વિક્સવવાના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ વિપક્ષે વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મુકાયા હતા તે ગાયબ થઇ ગયા છે અથવા તો કામ કરતા નથી તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો કર્યા હતા. 
જન્મ મરણના ઓનલાઇન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાને હવાલો સોંપવા સરકારમાં કરાયેલી દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પુરજોશ વિરોધ નોંધાવ્યો હતો અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપો કર્યા હતા.
આ સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યો એ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોનું જ સાંભળતા ન હોવાની રજુઆત કરી હતી. આ સામાન્ય સભા દરમ્યાન એજેન્ડા ઉપર કુલ ૧૯ જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા જેને મંજૂરી આપવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચમાં યોજાશે જનજાગૃતિ કાર્યક્રમ

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કરાશે ચર્ચા

  • આત્મીય હોલ ખાતે આયોજન

  • સમાજવિદ ડો.અનિલ પટેલ આપશે હાજરી

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “One Nation, One Election” જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને જોતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાશે.કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ ડૉ. અનિલ પટેલ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" વિષય પર  વિચારવિમર્શ રજૂ કરશે. દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હોટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  કિરણ મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સાથે  અનિષ પરીખ સહિત સંસ્થાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.