અંકલેશ્વર: નગર સેવા સદનની સામાન્ય સભા યોજાય, વિપક્ષ સહિત શાસક પક્ષના સભ્યએ પણ કામ ન થતા હોવાના કર્યા આક્ષેપ

પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને સમાન્યસભા યોજાઈ હતી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનો મૌન પાળી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

New Update
  • અંકલેશ્વર નગરસેવા સદનની સામાન્ય સભા મળી

  • 19 જેટલા કામો રજૂ કરવામાં આવ્યા

  • રૂ.75 લાખના માર્ગના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • જન્મ મરણના દાખલા અંગે વિપક્ષની ઉગ્ર રજુઆત

  • શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ કામ ન થતા હોવાના કર્યા આક્ષેપ

અંકલેશ્વર નગર સેવાસદનની સામાન્ય સભા આજરોજ મળી હતી જેમાં વિપક્ષ કોંગ્રેસે જન્મ મરણ દાખલા સહિત અન્ય બાબતોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અંકલેશ્વર નગરપાલિકાના સભા ખંડ ખાતે આજરોજ પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને સમાન્યસભા યોજાઈ હતી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનો મૌન પાળી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય જહાંગીર પઠાણે રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને રૂ. ૭૫ લાખના ખર્ચે આયકોનિક માર્ગ તરીકે વિક્સવવાના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ વિપક્ષે વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મુકાયા હતા તે ગાયબ થઇ ગયા છે અથવા તો કામ કરતા નથી તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો કર્યા હતા. 
જન્મ મરણના ઓનલાઇન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાને હવાલો સોંપવા સરકારમાં કરાયેલી દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પુરજોશ વિરોધ નોંધાવ્યો હતો અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપો કર્યા હતા.
આ સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યો એ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોનું જ સાંભળતા ન હોવાની રજુઆત કરી હતી. આ સામાન્ય સભા દરમ્યાન એજેન્ડા ઉપર કુલ ૧૯ જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા જેને મંજૂરી આપવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે કોલેજ રોડ પરથી 6 યુવાનોની કરી ધરપકડ,કારમાંથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો મોટો જથ્થો ઝડપાયો

ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની

New Update
hh

ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી અલગ અલગ બેંકના ATM, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છુટ્ટા ચેક, લેપટોપ તથા કાર સહિત કુલ રૂ.૧૦,૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાઇબર ક્રાઈમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કોલેજ રોડ પરથી પસાર થતી કાર નંબર GJ-16-CS-8971ને  ચેક કરવામાં આવી હતી.કારમાંથી મળી આવેલા ઇસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા.પોલીસે ATM અને ક્રેડિટ કાર્ડ ૧૪,બેંક ચેકબુક ૦૮,
છુટ્ટા ચેક ૧૩,ક્રેટા કાર કિંમત રૂ. ૧૦ લાખ,મોબાઇલ ફોન ૦૭ (કિંમત રૂ. ૩૦,૦૦૦),લેનોવો લેપટોપ ૦૧ (કિંમત રૂ. ૨૦,૦૦૦) મળીને કુલ કિંમત રૂ.૧૦,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ IPC તથા IT એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગુનાની વધુ તપાસ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે. આરોપીઓ દ્વારા સાઇબર ક્રાઈમ અથવા કોઈ ગુનાહિત કાવતરાને અંજામ અપાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઝડપાયેલ આરોપીઓ
અશોક જવાલાપ્રસાદ ત્રિવેદી (ઉ.વ. ૩૭) ઉત્તરપ્રદેશ, લક્ષ્ય અનુપસિંહ યાદવ (ઉ.વ. ૨૬) હરિયાણા,શીવાંક રોહીતકુમાર યાદવ (ઉ.વ. ૧૯) હરિયાણા
દીપાંશુ સતીષકુમાર સૈની (ઉ.વ. ૨૦)ઉત્તરપ્રદેશ
ધર્મેશ ભુપતભાઈ મકવાણા (ઉ.વ. ૨૨) સુરત
કરણ બાબુભાઈ વાળા (ઉ.વ. ૧૯) ભરૂચ