અંકલેશ્વર: ઉત્સવો માટે મળેલા દાનની રકમમાંથી નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે અનેક સેવાકાર્યો !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સામાજિક સેવા અર્થે કાર્યરત નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

New Update
  • અંકલેશ્વરમાં કાર્યરત છે નવદુર્ગા મિત્ર મંડળ

  • છેલ્લા35વર્ષથી કરે છે સેવાકાર્યો

  • ઉત્સવો માટે ઉદ્યોગો તરફથી મળે છે દાન

  • દાનની રકમમાંથી વિદ્યાર્થીઓને કરાય છે નોટબુક વિતરણ

  • શૈક્ષણિક કીટનું પણ કરાય છે વિતરણ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સામાજિક સેવા અર્થે કાર્યરત નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા ઉજવાતા વિવિધ ઉત્સવોમાં મળેલા દાનની રકમમાંથી બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા35વર્ષથી નવદુર્ગા મિત્ર મંડળ કાર્યરત છે.નવ દુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રી ઉત્સવગણેશ ઉત્સવ સહિત અનેક ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં તેમને ઔદ્યોગિક એકમો તરફથી દાન આપવામાં આવે છે.આ દાનમાં મળેલ રકમમાંથી તેઓ દ્વારા રાહતદરે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષ આ રીતે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે.

આ ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરાય છે.છેલ્લા35વર્ષથી સેવાનું ઉમદા કાર્ય કરી રહેલ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આવા અનેક વિધ સેવા કાર્યો કરવામાં આવે છે.જેને લોકો આવકારી રહ્યા છે. આ સેવા કાર્યોમાં મંડળના પ્રમુખ ભગવાન પટેલ,પૂર્વ પ્રમુખ સુરેશ પટેલઉદય નકુમ સહિતના આગેવાનોનો સહયોગ સાંપડી રહ્યો છે.

Read the Next Article

ભરૂચ: ST વિભાગ દ્વારા હર ઘર તિરંગા રેલીનું આયોજન, કર્મચારીઓ જોડાયા

ભરૂચમાં એસ.ટી. વિભાગ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી.ના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

New Update
rainnsns
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • એસ.ટી.વિભાગ દ્વારા આયોજન કરાયું

  • હર ઘર તિરંગા રેલી નિકળી

  • સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણી કરાય

  • મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા

ભરૂચમાં એસ.ટી. વિભાગ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી.ના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી વિભાગીય કાર્યાલયથી શરૂ થઈ વિભાગીય કચેરી, ભોલાવ અને ભોલાવ બસ સ્ટેશન સુધી પહોંચી હતી. એસ.ટી. કર્મચારીઓએ મુસાફરો અને સ્થાનિક નાગરિકોમાં તિરંગા પ્રત્યે ગર્વની ભાવના જગાવી તેમજ ઘર પર તિરંગો ફરકાવવાની અપીલ કરી હતી.આ કાર્યક્રમના અંતે ‘વ્યસન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત તમામ કર્મચારીઓએ વ્યસનમુક્તિ માટે પ્રતિજ્ઞા લીધી. આ પ્રસંગે વિભાગીય નિયામક આર.પી. શ્રીમાળી, વિભાગીય પરિવહન અધિકારી સોલંકી, ડેપો મેનેજર વી.આર. છત્રીવાલા સહિત યંત્રાલય, કચેરી અને ભોલાવ બસ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા