અંકલેશ્વર: આંબેડકર જયંતિ નિમિત્તે MPના મઉ સુધી યોજાયેલ પદયાત્રાની પુર્ણાહુતી, સંવિધાન જાગૃતિ માટે યોજાય હતી યાત્રા

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મઉ સુધી યોજાયેલ પદયાત્રા પરત અંકલેશ્વર આવી પહોંચી

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું આયોજન

  • આંબેડકર જયંતિ નિમિત્તે આયોજન

  • મઉ સુધી 480 કી.મી.ની યોજાય પદયાત્રા

  • સંવિધાન જાગૃતિ અર્થે પદયાત્રાનું આયોજન

  • પદયાત્રાની કરાય પુર્ણાહુતી

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મઉ સુધી યોજાયેલ પદયાત્રા પરત અંકલેશ્વર આવી પહોંચી હતી
ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળ રથ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મઉ ખાતે પહોંચ્યા બાદ પરત અંકલેશ્વર આવી હતી જ્યાં ભગવાન બિરસા મુંડા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
લઘુમતી સમાજના આગેવાન નફીશખાન પઠાણ દ્વારા આ પદયાત્રા કરવામાં આવી હતી.480 કિ.મી.ની યાત્રા સંવિધાન બચાવો – જળ, જંગલ, જમીન બચાવોના ઉદ્દેશ સાથે યોજાઈ હતી. પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (એસ.ટી./એસ.સી.) સમાજના પડતર પ્રશ્નો, ભૌગોલિક અધિકાર, અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે. આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.