New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું આયોજન
-
આંબેડકર જયંતિ નિમિત્તે આયોજન
-
મઉ સુધી 480 કી.મી.ની યોજાય પદયાત્રા
-
સંવિધાન જાગૃતિ અર્થે પદયાત્રાનું આયોજન
-
પદયાત્રાની કરાય પુર્ણાહુતી
ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મઉ સુધી યોજાયેલ પદયાત્રા પરત અંકલેશ્વર આવી પહોંચી હતી
ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળ રથ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મઉ ખાતે પહોંચ્યા બાદ પરત અંકલેશ્વર આવી હતી જ્યાં ભગવાન બિરસા મુંડા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
લઘુમતી સમાજના આગેવાન નફીશખાન પઠાણ દ્વારા આ પદયાત્રા કરવામાં આવી હતી.480 કિ.મી.ની યાત્રા સંવિધાન બચાવો – જળ, જંગલ, જમીન બચાવોના ઉદ્દેશ સાથે યોજાઈ હતી. પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (એસ.ટી./એસ.સી.) સમાજના પડતર પ્રશ્નો, ભૌગોલિક અધિકાર, અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે. આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
Latest Stories