અંકલેશ્વર: ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, સહયોગ પેનલને આંચકો

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજીંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યોમાટે યોજાયેલી ચુંટણીમાં સતારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો

New Update

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સત્તારૂઢ સહયોગ પેનલે પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો છે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજીંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યોમાટે યોજાયેલી ચુંટણીમાં સતારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો.ગત મોડીરાત્રે આવેલા પરિણામને અંતે કુલ આઠ સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના પાંચ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો જયારે સતારૂઢ સહયોગ પેનલના ત્રણ જ સભ્યો વિજયી નીવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાં સોંપો પડી ગયો હતો.
આ પરિણામને પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ ૩૦ મેનેજીંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા ૭ જેટલી થઇ જવા પામી હતી. વહીવટની શાસન ધુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા ૭ જેટલી થઇ ગઈ છે જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સતારૂઢ પેનલ માટે શિરદર્દ સમા બની રહેશે.ગતરોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા, ડેનિશ ભૂત,ચંદુ અકબરી,બાબુભાઇ પટેલ, ભરત પટેલ જયારે સહયોગ પેનલના ધર્મેશ ડોબરીયા, નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા.
Read the Next Article

ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

New Update
mines department
ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.
વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.