અંકલેશ્વર: ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, સહયોગ પેનલને આંચકો

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજીંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યોમાટે યોજાયેલી ચુંટણીમાં સતારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો

New Update

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સત્તારૂઢ સહયોગ પેનલે પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો છે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજીંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યોમાટે યોજાયેલી ચુંટણીમાં સતારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો.ગત મોડીરાત્રે આવેલા પરિણામને અંતે કુલ આઠ સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના પાંચ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો જયારે સતારૂઢ સહયોગ પેનલના ત્રણ જ સભ્યો વિજયી નીવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાં સોંપો પડી ગયો હતો.
આ પરિણામને પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ ૩૦ મેનેજીંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા ૭ જેટલી થઇ જવા પામી હતી. વહીવટની શાસન ધુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા ૭ જેટલી થઇ ગઈ છે જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સતારૂઢ પેનલ માટે શિરદર્દ સમા બની રહેશે.ગતરોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા, ડેનિશ ભૂત,ચંદુ અકબરી,બાબુભાઇ પટેલ, ભરત પટેલ જયારે સહયોગ પેનલના ધર્મેશ ડોબરીયા, નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા.
Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.