New Update
/connect-gujarat/media/media_files/2025/04/24/4pprmG2vDVCLpOUONCfX.jpg)
ભરૂચના હાંસોટના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓએ હંગામો મચાવ્યો હતો.સંગમ સ્થળ ખાતે સુવિધા ન હોવાના આક્ષેપ વચ્ચે તેઓએ હોડીઘાટની બુકિંગ ઓફિસમાં હંગામો મચાવતા દોડધામ મચી જવા પામી હતી.
પવન સલીલા માં નર્મદાની પરિક્રમામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. નર્મદા સંગમ સ્થાન અને હાંસોટ તાલુકાના વમલેશ્વર હોડીઘાટ ખાતે સુવિધાઓના મુદ્દે તેમજ હોડીમાં દિવસના બદલે રાત્રીના લઇ જવાના મુદ્દે લક્ઝરી બસ અને બાઈક સહીત પગપાળાં આવેલ 100થી વધુ પરિક્રમવાસીઓએ હંગામો કર્યો હતો. રહેવા, જમવા તેમજ અન્ય પ્રાથમિક સુવિધા અપાતી ન હોવાના આક્ષેપ સાથે પરિક્રમાવાસીઓએ હંગામો મચાવ્યો હતો.
/connect-gujarat/media/media_files/2025/04/24/7rsrGJiZXJ7UdQ1F1Hr1.jpg)
આ વચ્ચે દહેજ જેટી તરફ પાણી ઓછું હોવા સાથે દરિયાઈ પવન વધુ હોવાની તંત્રની સૂચના બાદ હોડી દિવસના બદલે રાત્રીના લઇ જવા આવનાર હોવાનું સામે આવતા જ પરિક્રમાવાસીઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો અને હોડી ઘાટની બુકિંગ ઓફિસમાં જ ભારે હંગામો મચાવ્યો હતો. જ્યાં મહિલા કમર્ચારી સહીત અન્ય એક કર્મચારીને પણ ધક્કે ચઢાવ્યા હતા.આ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા દરિયાઈ પવન ઓછો થયો હોવાની જાણ થતા તમામ પરિક્રમા વાસીઓને હોડીમાં બેસાડી નર્મદા સંગમ સ્થાન પાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા.
આ અંગે વમલેશ્વર ગામ આગેવાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે 100 જેટલા પરિક્રમાવાસીઓ એકત્ર થઇ ગયા હતા અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દે રજૂઆતો કરી હતી.આ વચ્ચે હોડીમાં દરિયાઈ પવન અને સામે કિનારે પાણી ઓછું હોવાનું સામે આવ્યા બાદ તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી જો કે ત્યારબાદ તંત્ર દ્વારા દરિયાઈ પવનનું જોર ઘટ્યું હોવાનું જણાવતા તમામને સંગમ સ્થળ પાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા છે.
Latest Stories