અંકલેશ્વર: સરફુદ્દીન ગ્રામ પંચાયતમાં હોબાળો, સરપંચની ગેરહાજરીમાં ગ્રામસભા યોજાય હોવાના આક્ષેપ

અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

1 વર્ષ પહેલા અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામના મહિલા સરપંચ કૈલાસબેન ભરત વસાવા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી જે દરખાસ્ત બાદ સસ્પેન્ડ લેટર મળ્યા વિના જ આજરોજ ગામના ડેપ્યુટી સરપંચ અને 6 સભ્યોની હાજરીમાં ગ્રામ સભા મળી હોવાના સરપંચ કૈલાશબેન વસાવાએ આક્ષેપ કર્યા હતા અને ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન્ટ યોજના અંતર્ગત પેવર બ્લોક,હેડપમ્પ અને ગટર લાઇનના પાંચ લાખના કામોની ગ્રાન્ટ ઉપાડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે ગ્રામજનોની જાણ બહાર કેટલાક સભ્યોની હાજરીમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કરાયા છે.સાથે ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યએ પંચાયત ખાતે હોબાળો મચાવ્યો હતો અને તલાટી કમ મંત્રીને રજૂઆત કરી હતી.
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.