અંકલેશ્વર: સરફુદ્દીન ગ્રામ પંચાયતમાં હોબાળો, સરપંચની ગેરહાજરીમાં ગ્રામસભા યોજાય હોવાના આક્ષેપ

અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

1 વર્ષ પહેલા અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામના મહિલા સરપંચ કૈલાસબેન ભરત વસાવા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી જે દરખાસ્ત બાદ સસ્પેન્ડ લેટર મળ્યા વિના જ આજરોજ ગામના ડેપ્યુટી સરપંચ અને 6 સભ્યોની હાજરીમાં ગ્રામ સભા મળી હોવાના સરપંચ કૈલાશબેન વસાવાએ આક્ષેપ કર્યા હતા અને ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન્ટ યોજના અંતર્ગત પેવર બ્લોક,હેડપમ્પ અને ગટર લાઇનના પાંચ લાખના કામોની ગ્રાન્ટ ઉપાડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે ગ્રામજનોની જાણ બહાર કેટલાક સભ્યોની હાજરીમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કરાયા છે.સાથે ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યએ પંચાયત ખાતે હોબાળો મચાવ્યો હતો અને તલાટી કમ મંત્રીને રજૂઆત કરી હતી.
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.