અંકલેશ્વર : ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી નિમિત્તે આંગણવાડીમાં કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની આંગણવાડી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી નિમિત્તે કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update

નવરાત્રીમાં દુર્ગા સ્વરૂપ કન્યા પૂજનનુંછે મહત્વ

ભારત વિકાસ પરિષદ દ્વારા કરાયું કન્યા પૂજન

આંગણવાડીની કન્યાઓનું કર્યું પૂજન

કન્યા પૂજન સાથે આપવામાં આવી ભેટ

ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો સભ્યોની વિશેષ ઉપસ્થિતિ

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની આંગણવાડી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી નિમિત્તે કન્યા પૂજનનોકાર્યક્રમ યોજાયો હતો.

નવરાત્રી પર્વ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યોછે,જગત જનની માઁ અંબાની આરાધના આ પર્વમાં કન્યા પૂજનનું પણ વિશેષ મહત્વ છે.ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની આંગણવાડી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના સાથે શક્તિસ્વરૂપા કન્યા પૂજન કરવામાં આવ્યું હતું.અને નાની બાળાઓને આ પ્રસંગે ભેટ પણ આપવામાં આવી હતી.આ શુભ અવસરેભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખાનામહિલાસંયોજિકાઅનંતા આચાર્ય,પ્રાંત મહિલા સહ સંયોજિકા રૂપલ જોશીમહિલા સભ્ય લેખા જોશી તેમજ રીમા વ્યાસ અને આંગણવાડી કેન્દ્રના દિવ્યાબેન સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.