ભરૂચ: લોંગ ટર્મ વિઝા મારફતે 14 પાકિસ્તાની નાગરિકો જિલ્લામાં હોવાનો ઘટસ્ફોટ, પરત મોકલવા પોલીસની કવાયત

ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા તાત્કાલિક અસરથી ખતમ કરીને તેમને ભારતથી રવાના કરવામાં આવી રહ્યા છે

New Update
  • આતંકી હુમલા બાદ મહત્વનો નિર્ણય

  • પાકિસ્તાની નાગરિકોને મોકલાશે પરત

  • ભરૂચ જિલ્લામાં પણ પાકિસ્તાની નાગરિકો

  • 14 પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝા ધરાવે છે

  • પોલીસ દ્વારા પરત મોકલવાની કવાયત

આતંકવાદી હુમલાબાદ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે 14 જેટલા પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝા મારફતે ભરૂચ જિલ્લામાં હોવાના આંકડા બહાર આવ્યા છે.
કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા તાત્કાલિક અસરથી ખતમ કરીને તેમને ભારતથી રવાના કરવામાં આવી રહ્યા છે ત્યારે  14 પાકિસ્તાની નાગરિકો લોન્ગ ટર્મ વિઝા મારફતે હોવાનું બહાર આવ્યું છે.પાકિસ્તાની નાગરિકોના વિઝા માત્ર 27 એપ્રિલ સુધી જ વેલિડ ગણાશે જ્યારે મેડિકલ વિઝાને 29 એપ્રિલ સુધી મંજૂર રાખવામાં આવ્યા છે.આ સાથે ગુજરાતમાં વસતા પાકિસ્તાની નાગરિકોની એક યાદી સામે આવી છે.
આ યાદીમાં લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ વિઝાથી 463 પાકિસ્તાની નાગરિકો ગુજરાતમાં હોવાનું માલૂમ પડ્યું છે. ભરૂચ જિલ્લામાં હાંસોતમાંથી પાકિસ્તાની મહિલાને પરત મોકલવામાં આવી હતી ત્યારે હજુ પણ 14 જેટલા પાકિસ્તાનની નાગરિકો લોંગ ટર્મ વિઝા મારફતે ભરૂચ જિલ્લામાં હોવાનો ખુલાસો ગૃહ વિભાગની યાદીમાં થયો છે ત્યારે પોલીસ દ્વારા આ અંગે જરૂરી કાર્યવાહી કરી તેઓને પાકિસ્તાન પરત મોકલવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: ઝાડેશ્વર રોડ પરની ઓટોપાર્ટ્સની દુકાનમાં 2 નોકરે કરી સામાનની ચોરી, રૂ.27 હજારના મુદ્દામાલ સાથે બન્ને આરોપીની ધરપકડ

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં  ઝાડેશ્વર રોડ પર આવેલ તા.૦૫/૦૬/૨૦૨૫નાં રોજ ફરીયાદી હર્નીશભાઈ ધીરેન્દ્રભાઈ સોલકીએ તેમની હર્નીશ ઓટો

New Update
Screenshot_2025-06-07-18-27-37-28_439a3fec0400f8974d35eed09a31f914
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં  ઝાડેશ્વર રોડ પર આવેલ તા.૦૫/૦૬/૨૦૨૫નાં રોજ ફરીયાદી હર્નીશભાઈ ધીરેન્દ્રભાઈ સોલકીએ તેમની હર્નીશ ઓટો મોબાઈલ દુકાનમાં કામ કરતા નઈમ અબ્દુલ રાજે અલગ અલગ કંપનીની બેટરી નગ-૧૮ તથા મો.સા.ના સ્પેરપાર્ટસની ચોરી કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી.
આ મામલામાં સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. બી.એસ.શેલાણા તથા પી.એસ.આઈ.એસ.એસ પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે આરોપી નિકોરા ગામ ખાતે હોવાની માહિતી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે આરોપી નઈમ અબ્દુલભાઈ રાજ રહે. નિકોરા ગામ લીમડા ફળીચું તા.જી.ભરૂચ અને  મહમદ સોયબ યાકુબભાઈ ખત્રી  રહે. નિકોરા ગામ નવરંગપુરા ફળીયું તા.જી.ભરૂચને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીમાં ગયેલ રૂ.27 હજારની કિંમતનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.