ભરૂચ: ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે સરકારી કચેરીઓમાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

શહીદ દિન નિમિતે સરકારી કચેરીમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ભરૂચ કલેકટર કચેરી ખાતે કલેકટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓએ બે મિનિટનું મૌન પાળી મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

New Update
  • આજે તારીખ 30મી જાન્યુઆરી

  • ગાંધી નિર્વાણ દિવસ

  • સરકારી કચેરીઓમાં યોજાયો કાર્યક્રમ

  • બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

  • મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ભરૂચ મહાત્મા ગાંધીના નિર્વાણ દિનને શહીદ દિન તરીકે મનાવાતા કલેકટર કચેરી સહિત  સરકારી કચેરીઓમાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યુ હતુ. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિનને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજરોજ તા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન નિમિતે સરકારી કચેરીમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ભરૂચ કલેકટર કચેરી ખાતે કલેકટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓએ બે મિનિટનું મૌન પાળી મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
આવી જ રીતે ભરૂચ નગર સેવા સદનની કચેરી ખાતે પણ શહીદ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમા નગરપાલિકાના કર્મચારીઓએ પણ મૌન પાળી મહાત્મા ગાંધી તેમજ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.