ભરૂચ: દહેજની સ્ટર્લીંગ લિમિટેડ કંપનીમાં 3 કર્મચારીઓ પર કેમિકલ ઉડતા સારવાર અર્થે ખસેડાયા

ગુજરાત | Featured | સમાચાર,ભરૂચના દહેજમાં આવેલ સ્ટર્લીંગ લિમિટેડ કંપનીમાં મેન્ટેનન્સ દરમ્યાન પ્રેસર પંપ ફાટી જતા કેમિકલ વછુટ્યુ હતું જેમાં 3 કામદારોને ઇજા થઇ હતી.

New Update
ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતનો બનાવ
સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં બની ઘટના
કેમિકલ ઉડતા કર્મચારીઓને અસર
સારવાર અર્થે ખસેડાયા
પ્રેશર પંપ ફાટતા સર્જાય દુર્ઘટના
ભરૂચના દહેજમાં આવેલ સ્ટર્લીંગ લિમિટેડ કંપનીમાં મેન્ટેનન્સ દરમ્યાન પ્રેસર પંપ ફાટી જતા કેમિકલ વછુટ્યુ હતું જેમાં 3 કામદારોને ઇજા થઇ હતી.
ભરૂચના દહેજમાં આવેલ સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં રવિવારના રોજ રાત્રીના સમયે  મેઇન્ટનન્સની કામગીરી ચાલી રહી હતી.આ દરમ્યાન અચાનક જ પ્રેશર પંપ ફાટી ગયો હતો અને તેમાંથી કેમિકલ વછુટયું હતું.પ્રેશર સાથે કેમિકલ ઉડતા નજીકમાં કામ કરી રહેલ ત્રણ કામદારોને આંખના અસહ્ય પીડા થઈ હતી આથી ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસમાં કર્મચારીઓ પર મેથેન સલ્ફોનિક એસિડ ઉડયું હોવાનું બહાર આવ્યું છે.બનાવની વધુ તપાસ સેફટી એન્ડ હેલ્થ વિભાગ કરી રહ્યું છે
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.