ભરૂચ: ખરચના દત્તાશ્રય આશ્રમમાં આયોજિત સહસ્ત્રકુંડી હનુમંત યાગ દરમ્યાન હનુમાન ચાલીસાના 50 હજાર પાઠ કરાશે

ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં આગામી તા 22 ફેબ્રુઆરીના રોજ 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચના ખરચ ગામ નજીક આવેલો છે આશ્રમ

  • દત્તાશ્રય આશ્રમમાં આયોજન

  • 1008 સહસ્ત્રકુંડી હનુમંત યાગનું આયોજન

  • હનુમાનચાલીસાના 50 હજાર પાઠ કરાશે

  • એશિયા બુક ઓફ રેકોર્ડમાં મળશે સ્થાન

ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં આગામી તા 22 ફેબ્રુઆરીના રોજ 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ આશ્રમ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ દત્તાશ્રય આશ્રમ ખાતે 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા સૌ પ્રથમ વખત આ મહાયજ્ઞ યોજાશે જેને એશિયા બુક ઓફ રેકોર્ડ્સને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.
આ માટે 1008 જેટલા યજ્ઞકુંડ પણ બનાવવામાં આવ્યા છે. આ હનુમાન યાગ દરમિયાન 10 લાખથી વધુ આહુતિ આપવામાં આવશે તો સાથે જ હનુમાન ચાલીસાના 50,000થી વધુ પાસ કરવામાં આવશે.સનાતન વૈદિક સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુથી આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.