ભરૂચ: 76માં પ્રજાસત્તાક પર્વની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં કરાશે ઉજવણી, પોલીસ-વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ કરાયુ

76માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાશે

New Update
  • દેશના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇ થનગનાટ

  • ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે

  • દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં કરાશે ઉજવણી

  • પોલીસ-વહીવટી તંત્ર દ્વારા કરાયુ રિહર્સલ

  • તડામાર તૈયારીઓ શરૂ કરાય

Advertisment
ભરૂચ જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાશે.
જેમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ રાષ્ટ્રધ્વજને સલામી આપશે ત્યારે હાલ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાથે જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક દિનના દિવસે ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વાતંત્ર સેનાનીઓના સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે.જેમાં રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment