New Update
/connect-gujarat/media/media_files/2025/04/30/ZNf8oZu3k2sZL7UjppIY.jpeg)
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શ્રમિક પરિવારના બાળકને મળ્યું નવજીવન
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના દેવાંશુને આર.બી.એસ.કે.ટીમનીમદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે ત્યારે લાભાર્થીના પિતા સતીશ વસાવાએ જણાવ્યુ કે, આંગણવાડીમાં રેગ્યુલર ચેક-અપ કરવા આવતા ડૉકટરને દેવાંશુની ઉંમર પ્રમાણે ઉંચાઈ અને વજન પણ ઘણું ઓછું લાગતા તેથી વધુ રીપોર્ટસ માટે ચેક-અપ કર્યુ.
હદયના ધબકારા અસામાન્ય લાગતા રેફરન્સ કાર્ડ આપીને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કાર્ડિયોગ્રાફીના રિપોર્ટ માટે કહ્યું ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ઑપરેશનની જરૂરિયાત જણાઈ હતી. અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામા આવ્યા હતા. ત્યાંના ડૉકટરના રિપોર્ટમાં પણ આવું જ નિદાન થતાં એક વર્ષના બાળક દેવાંશનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું જે બદલ તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા નવજાત શીશુથી લઈને ૧૮ વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરી તેમને જરૂરી સારવાર આપવામાં આવે છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આ બાળક માટે ખરેખર આશીર્વાદરૂપ નીવડ્યો છે.
Latest Stories