ભરૂચ : GNFCના 49 વર્ષ પર્ણ થતાં નર્મદાનગર ટાઉનશિપ ખાતે “સફળ યાત્રા”ની ભવ્ય ઉજવણી કરાય...

ભરૂચ શહેરના નર્મદાનગર સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીના 49 વર્ષ પૂર્ણ થતાં GNFC ટાઉનશીપ ખાતે “સફળ યાત્રા”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • નર્મદાનગર સ્થિત GNFC ટાઉનશીપ ખાતે ઉજવણી કરાય

  • GNFC કંપનીના 49 વર્ષ પૂર્ણ થતાં સફળ યાત્રાની ઉજવણી

  • GNFC કંપની પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા ક્ષેત્રોમાં અગ્રેસર બની

  • GNFCના S&R ક્લબ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી

  • મોટી સંખ્યામાં GNFC કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના નર્મદાનગર સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીના 49 વર્ષ પૂર્ણ થતાં GNFC ટાઉનશીપ ખાતે સફળ યાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)એ તેની 49 વર્ષની સફળ યાત્રાને ઉજવતા ગર્વભેર જાહેરાત કરી છે. વર્ષ 1976માં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત થયેલી આ કંપની આજે માત્ર ખાતર ઉત્પાદનમાં નહીંપરંતુ રાસાયણિકોપેટ્રોકેમિકલ્સઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર બની ગઈ છે. GNFCએ વર્ષો સુધી દેશભરના લાખો ખેડુતોને ગુણવત્તાવાળું ખાતર પૂરું પાડી કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

આ સાથે જ તેના ઔદ્યોગિક ઉત્પાદનો ભારતના અનેક ઉદ્યોગોને કાચા માલરૂપે સેવા આપી રહ્યાં છે. કંપનીએ પર્યાવરણીય સ્થિરતાને પણ મહત્વ આપતાં ઊર્જા બચતકચરો ઘટાડવો અને હરિત ઊર્જા અપનાવ્યા છે. GNFC કંપની સત્તાધીશોનું કહેવું છે કેતેમની સફળતાનો યાત્રાપથ કર્મચારીઓહિતધારકો અને ભાગીદારોના સહકાર વગર શક્ય બન્યો ન હોત. 50માં વર્ષમાં પ્રવેશ કરતી કંપની GNFCનો સંકલ્પ છે કેતે સતત નવીનતાગુણવત્તા અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે.

 

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.