-
નર્મદાનગર સ્થિત GNFC ટાઉનશીપ ખાતે ઉજવણી કરાય
-
GNFC કંપનીના 49 વર્ષ પૂર્ણ થતાં સફળ યાત્રાની ઉજવણી
-
GNFC કંપની પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા ક્ષેત્રોમાં અગ્રેસર બની
-
GNFCના S&R ક્લબ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી
-
મોટી સંખ્યામાં GNFC કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
ભરૂચ શહેરના નર્મદાનગર સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીના 49 વર્ષ પૂર્ણ થતાં GNFC ટાઉનશીપ ખાતે “સફળ યાત્રા”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)એ તેની 49 વર્ષની સફળ યાત્રાને ઉજવતા ગર્વભેર જાહેરાત કરી છે. વર્ષ 1976માં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત થયેલી આ કંપની આજે માત્ર ખાતર ઉત્પાદનમાં નહીં, પરંતુ રાસાયણિકો, પેટ્રોકેમિકલ્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર બની ગઈ છે. GNFCએ વર્ષો સુધી દેશભરના લાખો ખેડુતોને ગુણવત્તાવાળું ખાતર પૂરું પાડી કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
આ સાથે જ તેના ઔદ્યોગિક ઉત્પાદનો ભારતના અનેક ઉદ્યોગોને કાચા માલરૂપે સેવા આપી રહ્યાં છે. કંપનીએ પર્યાવરણીય સ્થિરતાને પણ મહત્વ આપતાં ઊર્જા બચત, કચરો ઘટાડવો અને હરિત ઊર્જા અપનાવ્યા છે. GNFC કંપની સત્તાધીશોનું કહેવું છે કે, તેમની સફળતાનો યાત્રાપથ કર્મચારીઓ, હિતધારકો અને ભાગીદારોના સહકાર વગર શક્ય બન્યો ન હોત. 50માં વર્ષમાં પ્રવેશ કરતી કંપની GNFCનો સંકલ્પ છે કે, તે સતત નવીનતા, ગુણવત્તા અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે.