ભરૂચ : છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતી નિમિત્તે મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય...

છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરમાં મરાઠી

New Update

છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતીની ઉજવણી

મરાઠી મિત્ર મંડળ દ્વારા શિવાજી જયંતિની ભવ્ય ઉજવણી કરાય

શ્રવણ ચોકડીથી વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી

શિવાજી મહારાજના જીવન ચરિત્રને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ

શિવાજી જયંતિની ઉજવણીમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાયા

છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છેત્યારે ભરૂચ શહેરમાં મરાઠી મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રના પ્રસિદ્ધ બાલાજી બેન્ડના તાલે શહેરના શ્રવણ ચોકડીથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રાનું મામલતદાર કચેરી સામે સંકટ મોચન હનુમાન મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોયુવાનોમહિલાઓ અને બાળકો પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખ્યો પત્ર, જર્જરીત બ્રિજોના નવીનીકરણની કરી માંગ

સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે. 

New Update
mansukh vasava

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલા વિવિધ જર્જરીત બ્રિજના નવીનીકરણની માંગ કરવામાં આવી છે. મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે. 

Bridge Renovation

આ સાથે જ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદી પરનો 60 વર્ષ જુનો બ્રિજ પણ અત્યંત જર્જરીત હાલતમાં છે. આ બ્રિજ પરથી મોટા ભારદારી વાહનો પસાર થતા હોવાથી દુર્ઘટનાની શક્યતા નકારી શકાતી નથી ત્યારે આ તમામ બ્રિજોના નવીનીકરણની માંગ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે.