ભરૂચ : છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતી નિમિત્તે મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય...

છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરમાં મરાઠી

New Update

છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતીની ઉજવણી

મરાઠી મિત્ર મંડળ દ્વારા શિવાજી જયંતિની ભવ્ય ઉજવણી કરાય

શ્રવણ ચોકડીથી વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી

શિવાજી મહારાજના જીવન ચરિત્રને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ

શિવાજી જયંતિની ઉજવણીમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાયા

છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છેત્યારે ભરૂચ શહેરમાં મરાઠી મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રના પ્રસિદ્ધ બાલાજી બેન્ડના તાલે શહેરના શ્રવણ ચોકડીથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રાનું મામલતદાર કચેરી સામે સંકટ મોચન હનુમાન મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોયુવાનોમહિલાઓ અને બાળકો પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

Read the Next Article

ભરૂચ-અંકલેશ્વરમાં વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી, સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્યની કરી કામના

વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

New Update
  • આજે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી

  • ભરૂચ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાય

  • સૌભાગ્યવતી સ્ત્રીઓએ વ્રત રાખ્યુ

  • વટ દેવતાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરી પૂજા

  • પતિના લાંબા આયુષ્યની કરી કામના

ભરૂચ શહેર અને જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી
ભરૂચના વિવિધ મંદિરો,વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી  શાસ્ત્રો મુજબ, વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.
આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિ ભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે
આ તરફ અંકલેશ્વરમાં પણ વટસાવિત્રીના વ્રતની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના વિવિધ મંદિરો અને ગામોમાં  સૌભાગ્યવતી  મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી અને   પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.અંકલેશ્વરમાં રત્નેશ્વર ,અંતરનાથ ,માંડવેશ્વર મહાદેવ મંદિર અને સુરવાડી ખોડીયાર માતાજીના મંદિર સહિતના  સ્થળોએ વટસાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.