New Update
ભરૂચના આમોદ પોલીસ સ્ટેશને આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખી પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ અસવારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી.
જેમાં હિન્દુ - મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોએ આમોદ નગરમાં ઉજવાતા દરેક ધાર્મિક તહેવારો કોમી એખલાસના વાતાવરણમા શાંતિ પૂર્ણ રીતે ઉજવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.આમોદના પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ અસવારે સૌને આમોદ નગરમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી.તેમજ સમય મર્યાદામાં તાજીયાનું ઝુલુસ પૂર્ણ કરવા સૂચના આપી હતી.શાંતિ સમિતિની બેઠકમાં નાઝુ બાપુ,જૈમિન પ્રજાપતિ,નવીન પરમાર સહિત તાજીયા કમિટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories