ભરૂચ: દિલ્હીની સરકારની જેમ ગુજરાતની જનતાને પણ લાભ આપવા આપ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

ગુજરાતની મહિલાઓને પણ દિલ્લીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે, શિક્ષણ-સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે એવીભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • સરકારને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • દિલ્હી સરકારની જેમ યોજનાઓનો લાભ આપવા માંગ

  • મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવા માંગ કરાય

  • આપના કાર્યકરો જોડાયા

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરીકોને પણ આપવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે.આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઇ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઉંચો છે.ગુજરાતની મહિલાઓને પણ દિલ્લીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે, શિક્ષણ-સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.