ભરૂચ: જ્યોતિબા ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી ફિલ્મ ફુલેનો સ્પેશ્યલ શો યોજાયો !

સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલેના જીવનસંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ‘કુલે' નો સ્પેશિયલ શો શહેરની ગોલ્ડ સિનેમા થિયેટરમાં યોજાયો

New Update
  • ભરૂચમાં સ્પેશ્યલ શોનું કરાયુ આયોજન

  • ફૂલે ફિલ્મનો સ્પેશ્યલ શો યોજાયો

  • ગોલ્ડ સિનેમા થિયેટરમાં શોનું આયોજન

  • સ્વયંમ સૈનિક દળ દ્વારા આયોજન કરાયુ

  • 400થી વધુ લોકોએ ફિલ્મ નિહાળી

ભરૂચમાં સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલેના જીવનસંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ‘કુલે' નો સ્પેશિયલ શો શહેરની ગોલ્ડ સિનેમા થિયેટરમાં યોજાયો હતો.
સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલેના જીવનસંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ‘કુલે' ફિલ્મ કેટલાક વિવાદ વચ્ચે ૨૫મી એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે, સામાજિક કાર્યકર્તા અને સમાજસુધારક ફુલે દંપતીની નીડરતા અને સમાનતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થયા બાદ ભરૂચ શહેરમાં મહાત્મા ફુલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા.જોકે,આ ફિલ્મ શહેરના એકેય મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી.
જેથી જયોતિબાના ચાહકો અને સ્વયંમ સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવેલી ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકે આખો શો બુક કરવા માટે કહેતા સ્વયં સૈનિક દળના આહવાન પર એક નહી પણ બે સ્ક્રીન બુક થઈ ગઈ હતી એટલે બુધવારના રોજ 400 એસટી,અને ઓબીસીના લોકો સાંજના 6 થી 9 નો બાયોપિક ‘કુલે' નો સ્પેશિયલ શોમાં ફિલ્મ નિહાળી હતી. બાળકો પણ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે સિનેમાગૃહમાં પહોંચી તેમણે આપેલા બલિદાનને યાદ કર્યા હતા. 
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.