ભરૂચ: વાલિયાના વટારીયા નજીક ખાદ્યતેલ ભેરલું ટેન્કર પલટી ગયું, લોકોએ તેલની ચલાવી લૂંટ

અંકલેશ્વર તરફથી વાલિયા આવી રહ્યો હતો.તે દરમિયાન વાલીયાના વટારીયા ગામના વળાંક પાસે ચાલકને ઝોકું આવી જતા ટેન્કર બે પલટી મારી ગયું હતું.

New Update
  • ભરૂચના વાલિયા નજીકનો બનાવ

  • વટારીયા નજીક ટેન્કર પલટી ગયું

  • ટેન્કરમાંથી ખાદ્યતેલ ઢોળાયુ

  • લોકોએ તેલની ચાલવી લૂંટ

  • ટેન્કરચાલકને ઇજા

ભરૂચના વાલીયાના વટારીયા ગામના  વળાંક પાસે ટેન્કર ચાલકને ઝોકું આવી જતા પલટી જતા ખાદ્યતેલ ઢોળાતા વટે માર્ગુઓએ લૂંટ મચાવી હતી.
આજરોજ સવારના સમયે ટેન્કર ચાલક ખાદ્ય તેલનો જથ્થો ભરી અંકલેશ્વર તરફથી વાલિયા આવી રહ્યો હતો.તે દરમિયાન વાલીયાના વટારીયા ગામના વળાંક પાસે ચાલકને ઝોકું આવી જતા ટેન્કર બે પલટી મારી ગયું હતું.આ અકસ્માતમાં ચાલકને ઇજાઓ પહોંચતા તેને 108 સેવાની મદદ વડે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માતમાં ટેન્કરમાં રહેલ ખાદ્ય તેલ ઢોળાવવા લાગ્યું હતું.આ દ્રશ્યો જોતા જ ત્યાંથી પસાર થતા લોકોએ બોટલ અને કેરબામાં ઓઇલની લૂંટ ચલાવી હતી.અકસ્માત અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.