ભરૂચ: સ્વરછ ભારતના સંદેશ સાથે સાયકલ પર દેશના પરિભ્રમણ પર નિકળેલ યુવાનનું કરાયુ સ્વાગત

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ (ગીર) ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સાંખટ ખરા અર્થમાં સ્વરછ ભારત અભિયાનને સાકાર કરી રહ્યા છે.

New Update
a

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ (ગીર) ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સાંખટ ખરા અર્થમાં સ્વરછ ભારત અભિયાનને સાકાર કરી રહ્યા છે. ભાવેશ સાંખટે  ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવાવ ગામથી તા.૨૯ ઓગસ્ટના રોજ પ્રસ્થાન કર્યું છે.

આજે તેઓ તેમના પ્રસ્થાનના ૮૦માં દિવસે ભરૂચ આવી પહોંચ્યા હતા ભરૂચના સાઈક્લિસ્ટ દ્વારા સ્વાગત કર્યું હતું.ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષરોપણ સ્વચ્છ ભારત અભિયાન પવિત્ર સ્થળે કચરો ન નાખવો અને સંસ્કૃતિ ઉજાગર કરતા સંદેશો  આપશે અને તેઓ બે વર્ષ સુધી ભારતમાં વિવિધ જગ્યાએ પરિભ્રમણ કરશે