ભરૂચ : નવસારીથી સૌરાષ્ટ્ર તીર્થ યાત્રાએ નીકળેલા સાયકલ યાત્રીનું તવરા ગામે સ્વાગત કરાયું
નવસારી જિલ્લાના એંધલ ગામથી સૌરાષ્ટ્ર કચ્છના તીર્થ સ્થળોની સાયકલ યાત્રાએ નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહીર ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે આવી પહોંચતાં આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.