ભરૂચ: વાગરાના આંકોટ ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત

સુતરેલ ગામનો 24 વર્ષીય સંદીપ રાઠોડ  મોટરસાયકલ લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન આંકોટ ગામના બસસ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો.

New Update
Accident
ભરૂચના વાગરાના આંકોટ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં સુતરેલ ગામના આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું ભરૂચના વાગરાના સુતરેલ ગામનો 24 વર્ષીય સંદીપ  રાઠોડ  મોટરસાયકલ  નંબર જીજે.૧૬.ડીએમ.૮૨૨૬  લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન ગત રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં આંકોટ ગામના બસસ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો.
જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ સહિત 108 ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. જોકે ગંભીર ઇજના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું. વાગરા પોલીસે મૃતકનું પીએમ કરાવા સાથે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.