ભરૂચ: આમોદના સરભાણ ગામ નજીક ટેન્કરે બાઇકને ટક્કર મારતા નોકરી પરથી પરત ફરી રહેલ યુવાનનું મોત

ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામના ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. ટેન્કર અને બાઈક સર્જાયેલ  અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું.

New Update
bb

ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામના ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. ટેન્કર અને બાઈક સર્જાયેલ  અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું.

મૃતક સંકેત કિશોરભાઈ જડિયા (ઉ.વ. 37), જંબુસરના સુભાષ મેદાન વિસ્તારમાં રહેતા હતા.તેઓ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સંકેતભાઈએ હેલ્મેટ પહેર્યું હોવા છતાં માથામાં ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ થતા જ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, આમોદ નગરપાલિકાના પ્રમુખ અને મહામંત્રી  આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર દોડી આવ્યા હતા.બનાવ અંગે આમોદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories