સુરત : અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોનો હાથફેરો, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

સુરત શહેરના અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તો બીજી તરફ, CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

New Update
  • અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં 2 તસ્કરો ત્રાટક્યા

  • જૈન દેરાસરમાં 2 તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો

  • 2 દાનપેટીપ્રતિમાની ચાંદીની આંખ અને ભ્રમણની ચોરી

  • તસ્કરોની તમામ કરતૂત દેરાસરના CCTV કેમેરામાં કેદ થઈ

  • તસ્કરોનું પગેરું મેળવવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાય

સુરત શહેરના અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તો બીજી તરફ, CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જૈન ધર્મનું પૌરાણિક ગુરૂરામ પવનભૂમિ દેરાસર આવેલું છે. જેમાં ગત મોડી રાત્રે 2 તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. દેરાસરના નકશી કોતરણી કરી બનાવેલ માર્બલની ઝાળી તોડી તસ્કરો પરિસરમાં ઘૂસ્યા હતા.

ત્યારબાદ દેસરસરની 2 દાનપેટીભગવાનની પ્રતિમાની ચાંદીની આંખ અને ભ્રમણની ચોરી કરી ફરાર ફરાર થઈ ગયા હતા. જોકેપૌરાણિક જૈન દેરાસરમાં ચોરીની ઘટના ત્યાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેકેવી રીતે તસ્કરો હાથફેરો કરી રહ્યા છે.

તો બીજી તરફબનાવની જાણ થતાં જ DCP કક્ષાના અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Latest Stories