-
ભારતની મહાન વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોલકર
-
અહલ્યાબાઈની 300મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી
-
ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
-
ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
-
પૂર્વ સંગઠન પ્રભારી સહિતના હોદ્દેદારો-કાર્યકરોની હાજરી
ભારતની મહાન વીરાંગના મહારાણી અહિલ્યાબાઈનો જન્મ 31 મે, 1725ના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લાના ચૌંડી ગામમાં થયો હતો. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન નજીક ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મુખ્ય વક્તા ભાજપના પૂર્વ સંગઠન પ્રભારી જનક બગદાણાવાલાએ પુણ્યશ્લોક અહલ્યાબાઈના જીવન અંગે સુંદર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, દિવ્યેશ પટેલ, નિરલ પટેલ તેમજ યુવા ભાજપના ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.