ભરૂચ: કેન્દ્ર સરકારના કપાસની આયાતને કર મુક્ત કરવાના નિર્ણયનો AAPનો વિરોધ, કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

કેન્દ્ર સરકારે કપાસની આયાતને કરમુક્ત કરતા ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ કરી રહી છે જેને લઈ ભરૂચ આમ આદમી પાર્ટી પણ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • આપ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • કપાસની આયાત કરમુક્ત કરવાના નિર્ણયનો વિરોધ

  • કેન્દ્ર સરકારે આયાત કરી છે કરમુક્ત

  • ખેડૂતોને નુકશાનીની રજુઆત

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારે કપાસની આયાત કરમુક્ત કરતા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકારે કપાસની આયાતને કરમુક્ત કરતા ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાતના ખેડૂતોને વિદેશી કપાસની આયાત પર કરમુક્તિ કરાતા ભાવ નહિ મળવાની દહેશત વ્યક્ત કરાઈ છે. ભરૂચ જિલ્લા આપ દ્વારા પણ આયાતી કપાસ પર કરમુક્તિ પાછી ખેંચી લેવા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને અપાયેલા આવેદનમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત આપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Latest Stories