ભરૂચ: આપ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે યોજાશે પરિવર્તન સંકલ્પ સભા, આગેવાનો કરશે ઉપવાસ !

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક દિવસીય ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • આપ દ્વાર આયોજન કરાયું

  • ગુજરાત સ્થાપના દિવસે યોજાશે કાર્યક્રમ

  • પરિવર્તન સંકલ્પ સભા પણ યોજાશે

  • આપના આગેવાનો કરશે ઉપવાસ

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક દિવસીય ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી  દ્વારા રાજ્યભરમાં "ગુજરાતની સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા" માટે એક દિવસીય ઉપવાસ અને "પરિવર્તન સંકલ્પ સભા"નું આયોજન કરવામાં આવ્યું છે.આ સંદર્ભે ભરૂચમાં આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિયુષ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સ્થાપનાના ૬૪ વર્ષ પછી પણ ન્યાય મળતો નથી. રાજ્યની જનતા આજે સસ્તું શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાની જરૂરિયાત અનુભવી રહી છે.આમ આદમી પાર્ટી એક મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પરૂપે આગળ આવી રહી છે.આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યની જનતામાં એક નવી રાજકીય જાગૃતિ ઉભી કરવી અને સકારાત્મક પરિવર્તન તરફ કદમ ભરવાનો સંકલ્પ વ્યાપક બનાવવાનો છે.
Read the Next Article

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ

  • રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ

  • રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર

  • કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.