New Update
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરુચ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનું નિરકરણ મુદ્દે કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરુચ જિલ્લાના સંયોજક મિહિર પટેલની આગેવાનીમાં એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પોર્ટલમાં ખામી હોવાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયાએ દૂરદર્શી નિર્ણય છે પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ કોલેજોમાં પ્રવેશ પોર્ટલને બદલે પ્રવેશ પ્રક્રિયા હેઠળ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે