ભરૂચ: ઝાડેશ્વર ચોકડી નજીક અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ઝાડેશ્વર ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી

New Update
ભરૂચ: ઝાડેશ્વર ચોકડી નજીક અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ, ફાયર વિભાગે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ઝાડેશ્વર ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી. ગેસની અસરની અનુભૂતિ પણ થઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.આ ઘટના દરમ્યાન ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક પણ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે આ બનાવવામાં કોઈ જાનહાની થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો પ્રાથમિક માહિતી અનુસાર ટેન્કરમાંથી એચ.સી.એલ લીક થયો હોવાનું જાણવા મળી રહ્યું છે

#Bharuch #accident
Here are a few more articles:
Read the Next Article