ભરૂચ: કોમી અથડામણ બાદ પોલીસના ઘાડેધાડા રસ્તા પર ઉતર્યા, અંકલેશ્વરમાં ફ્લેગમાર્ચ યોજાઈ

ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય  બનાવ ન બને તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય  બનાવ ન બને તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના કુકરવાડા વિસ્તારમાં કોમી છમકલાની ઘટનાને લઈને વાતાવરણ તંગ બન્યું હતું, ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી સમયમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદના પર્વને અનુલક્ષીને ભરૂચમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના એ અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ફ્લેગમાર્ચ નીકળી હતી.પોલીસ કાફલાએ શહેરીજનોને સુરક્ષા તેમજ સલામતીની અનુભૂતિ કરાવી હતી.
તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અંકલેશ્વરના એ, બી, તાલુકા પોલીસ મથક, જીઆઇડીસી પોલીસ મથક અને પાનોલી પોલીસ મથક વિસ્તારમાં તબક્કાવાર ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તહેવાર દરમિયાન પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે.
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.