ભરૂચ: દહેજમાં મીઠાના અગરમાંથી માનવ હાથનું કંકાલ મળ્યા બાદ પગ પણ મળ્યો, ચોંકાવનારા હત્યાકાંડની આશંકા !

દહેજ પોલીસને મીઠાના અગરમાંથી હાથ મળી આવ્યો  હતો આ બાદ શુક્રવારના રોજ પગ પણ મળી આવ્યો જેસીબી ડ્રાઇવર રોહિત સીંગના આ અંગ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.

New Update
Dahej
ભરૂચના ચકચારી સચિન ચૌહાણ હત્યાકાંડમાં મૃતકના શરીરના 9 ટુકડા કરી ગટરમાં ફેંકી દેવાયા હતા. અતિ ગંભીર આ મામલાનો ભેદ ઉકેલી પોલીસ હાંશકારો અનુભવે તે પહેલા વધુ એક સ્થળે માનવ અંગ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું દહેજમાં મીઠાના અગરમાંથી માનવ હાથ અને પગ મળી આવ્યા છે.   
Advertisment W3.CSS
ભરૂચમાં સચિન ચૌહાણની ચોંકાવનારા હત્યા કાંડ બાદ મંગળવારના રોજ દહેજમાંથી માનવ અંગ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.દહેજ પોલીસને મીઠાના અગરમાંથી હાથ મળી આવ્યો  હતો આ બાદ શુક્રવારના રોજ પગ પણ મળી આવ્યો છે.ઘણા સમયથી લાપતા જેસીબી ડ્રાઇવર રોહિત સીંગના આ અંગ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.
પોલીસે માનવ અંગનું ફોરેન્સિક પી.એમ.કરાવવા તજવીજ હાથ ધરી છે. જો કે હજુ આ ગુમ થયેલ જેસીબી ચાલક જ છે કે કેમ એની પણ સ્પષ્ટતા થઈ શકી નથી. આ મામલામાં પણ ચોંકાવનારો હત્યાકાંડ સામે આવે તો નવાઈ નહી..
Read the Next Article

ભરૂચ: કોરોનાના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ માત્ર 1 કેસ જ એક્ટિવ

ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા..

New Update
  • રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો

  • એક દિવસમાં 170 નવા કેસ નોંધાયા

  • ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય

  • અત્યારસુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા

Advertisment W3.CSS
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેની સામે ભરૂચમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજયમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં કોરોનાના  717 એક્ટિવ કેસ છે અને  23 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં 170 નવા કેસ નોંધાયા છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય જણાય રહી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે.
આ તરફ ભરૂચ આરોગ્ય વિભાગ પણ સજજ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોરોનાના પોઝિટિવ કેસોની સારવાર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટરની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
Latest Stories