ભરૂચ : બંગાળી સમાજ દ્વારા નર્મદા નદીમાં પ્રતિમાઓનું વિસર્જન કરી દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ કરાય...

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

New Update

શહેર-જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા આયોજન

શ્રવણ ચોકડી નજીક દુર્ગા મહોત્સવની ઉજવણી કરાય

દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન

દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરાયું

મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં રોજગાર-ધંધા અર્થે સ્થાયી થયેલા બંગાળી સમાજ છેલ્લા 44 વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. આ પર્વ આસો નવરાત્રીના પાંચમના દિવસે દુર્ગા માતાની વિધિવત ધાર્મિક પૂજન સાથે સ્થાપના કરી આસો નવરાત્રીની નોમ સુધી દુર્ગા માતાની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે.આ વર્ષે પણ બંગાળી સમાજ દ્વારા દુર્ગા માતાની પ્રતિષ્ઠા કરી અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતાત્યારે ગત તા. 13મી ઓક્ટોબરના રોજ સિંદૂર ખેલાની વિધિ કરી સંધ્યાકાળે દુર્ગા માતાની વિસર્જન યાત્રા નીકળી હતી. જેમાં બંગાળી સમાજના યુવાનોયુવતીઓ અને બાળકો જોડાયા હતા. ડીજેના તાલે નાચતાં જુમતા તેઓ નર્મદા નદી કિનારે પહોંચી દુર્ગા માતાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.