ભરૂચ : બંગાળી સમાજ દ્વારા નર્મદા નદીમાં પ્રતિમાઓનું વિસર્જન કરી દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ કરાય...

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

New Update

શહેર-જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા આયોજન

શ્રવણ ચોકડી નજીક દુર્ગા મહોત્સવની ઉજવણી કરાય

દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન

દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરાયું

મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં રોજગાર-ધંધા અર્થે સ્થાયી થયેલા બંગાળી સમાજ છેલ્લા 44 વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. આ પર્વ આસો નવરાત્રીના પાંચમના દિવસે દુર્ગા માતાની વિધિવત ધાર્મિક પૂજન સાથે સ્થાપના કરી આસો નવરાત્રીની નોમ સુધી દુર્ગા માતાની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે.આ વર્ષે પણ બંગાળી સમાજ દ્વારા દુર્ગા માતાની પ્રતિષ્ઠા કરી અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતાત્યારે ગત તા. 13મી ઓક્ટોબરના રોજ સિંદૂર ખેલાની વિધિ કરી સંધ્યાકાળે દુર્ગા માતાની વિસર્જન યાત્રા નીકળી હતી. જેમાં બંગાળી સમાજના યુવાનોયુવતીઓ અને બાળકો જોડાયા હતા. ડીજેના તાલે નાચતાં જુમતા તેઓ નર્મદા નદી કિનારે પહોંચી દુર્ગા માતાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.