ભરૂચ: ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, બજેટ અંગે અપાયું માર્ગદર્શન

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલ બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

New Update

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલ બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે આજરોજ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત ડાંગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી ભાજપ સરકારે સંસદમાં બજેટ રજૂ કર્યું છે આ બજેટ અંગેનું માર્ગદર્શન સંમેલનમાં આપવામાં આવ્યું હતું. આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબો યુવાનો નારી શક્તિ અને અન્નદાતાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું સર્વસ્પર્શીય સર્વસમાવેશી બજેટ રજૂ કરવામાં આવ્યુ છે અને આ બજેટની સાઈઝ ત્રણ ગણી સુધી વધારે પહોંચી છે. આ બજેટમાં આરોગ્ય, ઇનફાસ્ટ્રક્ચર અને યુવાનો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનો લાભ જન જનને મળશે. પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી, મહામંત્રી નિરલ પટેલ,વિનોદ પટેલ,યોગેશ પટેલ,ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.