ભરૂચ : મહાન વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે ભાજપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય…

પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભારતની મહાન વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોલકર

  • અહલ્યાબાઈની 300મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરભરમાં ભવ્ય શોભાયાત્રા

  • ભાજપના આગેવાનો સહિતના હોદ્દેદારો-કાર્યકરોની હાજરી

પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતની મહાન વીરાંગના મહારાણી અહિલ્યાબાઈનો જન્મ 31 મે1725ના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લાના ચૌંડી ગામમાં થયો હતોત્યારે આજરોજ તેમની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શોભાયાત્રા શહેરના પવિત્ર શક્તિનાથ મહાદેવ મંદિરથી આરંભ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી યોજાય હતી. સમગ્ર યાત્રામાર્ગ પર જનસમુદાયે શોભાયત્રાને ઉત્સાહભેર આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીધારાસભ્ય રમેશ મિસ્ત્રીજિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવશહેર પ્રમુખ જતીન શાહવિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.