ભરૂચ: સત્ય સાંઈબાબાની 100મી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ તથા એન.એસમએસ. યુનિટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના સહયોગથી કોલેજના યુવાનો સાથે ભેગા મળીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સત્ય સાંઈ બાબાની જન્મજયંતિની ઉજવણી

  • 100મી જન્મજયંતિની ઉજવણી કરાય

  • રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

  • રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

સત્ય સાંઈબાબાની 100મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
સત્ય સાંઈબાબાની 100મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ તથા એન.એસમએસ. યુનિટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના સહયોગથી કોલેજના યુવાનો સાથે ભેગા મળીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને 70થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના હોદ્દેદારો તેમજ કોલેજના એન.એસ.એસ. યુનિટના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.રક્તદાન એ મહાદાન સૂત્રને સાર્થક કરી રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.