ભરૂચ: દિવાળીના પર્વ પર ફૂલબજારમાં તેજીનો માહોલ, હજારો ટન ફૂલનું થશે વેચાણ!

દિવાળી અને નૂતન વર્ષના પર્વ પર ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી પડ્યા હતા

New Update

દિવાળી અને નૂતન વર્ષના પર્વ પર ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી પડ્યા હતા

Advertisment

પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ફૂલના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં વિવિધ પ્રકારના ફૂલોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આવતીકાલે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવશે ત્યારે આજરોજ ફૂલ બજારમાં ગ્રાહકનો ધસારો જોવા મળ્યો હતો. ગલગોટાના ફુલ સો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે તો બીજી તરફ ગુલાબના ફૂલનું 250 થી 300 રૂપિયે કિલોના ભાવે વેચાણ થયું હતું.નવા વર્ષના દિવસે લોકો નવા વસ્ત્રો પરિધાન કરી મંદિરે પ્રભુ દર્શન અર્થે જતા હોય છે,આ ઉપરાંત વાહનો, ઘરમાં પણ હાર ચઢાવતા ત્યારે ફૂલના વેચાણમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં લોકોની ચહલપહલ જોવા મળી હતી.

વેપારીઓના જણાવ્યા અનુસાર આ વખતે પાછોતરા વરસાદના કારણે માર્કેટમાં ફુલની અછત જોવા મળી રહી છે. જોકે નાશિક તરફથી ફૂલોની આવક ચાલુ છે હાલ સુધી જોઈએ એવો માહોલ જામ્યો નથી પરંતુ એક અંદાજ મુજબ બે દિવસ દરમિયાન હજારો ટન ફૂલનું વેચાણ થશે
Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment