ભરૂચ: હાંસોટ આવેલા પાકિસ્તાની મહિલાને પરત મોકલાતા તેમના ભાઈનું નિવેદન, "કરે કોઈ ભરે કોઈ જેવી સ્થિતિ"

ભરૂચના હાસોટમાંથી પાકિસ્તાની 71 વર્ષીય મહિલા સઇદા બીવીને પરત મોકલવામાં આવી હતી. 10 વર્ષ બાદ તેઓ શોર્ટટર્મ વિઝા મળતા તેમના પિયરમાં આવ્યા હતા...

New Update
  • આતંકી હુમલા બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ

  • પાકિસ્તાની નાગરિકોને પરત મોકલાયા

  • હાંસોટમાં આવેલ પાકિસ્તાની મહિલાને પરત મોકલાઈ

  • મહિલાના ભાઈનું નિવેદન

  • કરે કોણ અને ભરે કોણ જેવી સ્થિતિ

Advertisment
જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલાબાદ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચના હાંસોટ ખાતે આવેલી 71 વર્ષીય પાકિસ્તાની મહિલાને પણ પરત મોકલવામાં આવ્યા હતા. આ મામલામાં હાંસોટમાં રહેતા તેમના ભાઈનું નિવેદન સામે આવ્યું છે

જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં આતંકવાદી હુમલાબાદ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની સરકારે સૂચના આપ્યા બાદ ભરૂચના હાસોટમાંથી પાકિસ્તાની 71 વર્ષીય મહિલા સઇદા બીવીને પરત મોકલવામાં આવી હતી. 10 વર્ષ બાદ તેઓ તેમના પિયરમાં આવ્યા હતા.સઈદા ચાર દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલી ગઈ હતી.

શોર્ટટર્મ વિઝા મળતા તેઓ પિયર આવ્યા હતા જેને આતંકી હુમલાબાદ પ્રવાસ ટુકાવી પરત જવું પડ્યું હતું ત્યારે સઇદાને પરત મોકલાવતા હાંસોટમાં રહેતા તેમના ભાઈ કમાલ બરફવાળાનું નિવેદન સામે આવ્યું છે કમલ બરફવાળાએ આ અંગે જણાવ્યું હતું કે આ મામલામાં તો કરે કોઈ અને ભરે કોઈ જેવા ઘાટનું નિર્માણ થયું છે આતંકીઓએ કરેલા હીચકારા કૃત્યના કારણે અન્ય નાગરિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શહીદા તારીખ 14મી એપ્રિલના રોજ હાંસોટ આવ્યા હતા જોકે 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલાબાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ્દ અંગેનો નિર્ણય લીધો હતો જે અંગેની જાણ તેઓને સમાચાર માધ્યમો દ્વારા થઈ હતી ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરીનો સંપર્ક કરી તારીખ 23મી એપ્રિલે તેમને પરત મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. હાલ તેઓ પાકિસ્તાન પહોંચી ગયા છે. સરકારે જે નિર્ણય લીધો છે તેનુંઅને દેશના કાયદાનું તેઓ પાલન કરે છે. આ તરફ તેઓએ હિચકારી કૃત્ય બદલ ભારત સરકાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : આમોદના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 15થી વધુ લોકો ઘાયલ...

આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • આમોદના તણછા ગામ નજીક સર્જાયો અકસ્માત

  • એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

  • અકસ્માત સર્જાતા 15થી વધુ લોકોને પહોચી ઇજા

  • ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયા

  • આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ આદરી

Advertisment

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસારભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક નેશનલ હાઇવે નં. 64 પર ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી. બસ નં. GJ-18 6594 અને આમોદ તરફથી આવતા ટ્રક નં. GJ-21 2873 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર અંદાજિત 40થી 50 મુસાફરોમાંથી 15થી 20 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર-આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તો અને તેમના સગા-સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કેટ્રક ચાલક દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાનો શંકાસ્પદ આક્ષેપ પણ લોકોએ કર્યો હતો. તો બીજી તરફઆમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment