ભરૂચ: હાંસોટ આવેલા પાકિસ્તાની મહિલાને પરત મોકલાતા તેમના ભાઈનું નિવેદન, "કરે કોઈ ભરે કોઈ જેવી સ્થિતિ"

ભરૂચના હાસોટમાંથી પાકિસ્તાની 71 વર્ષીય મહિલા સઇદા બીવીને પરત મોકલવામાં આવી હતી. 10 વર્ષ બાદ તેઓ શોર્ટટર્મ વિઝા મળતા તેમના પિયરમાં આવ્યા હતા...

New Update
  • આતંકી હુમલા બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ

  • પાકિસ્તાની નાગરિકોને પરત મોકલાયા

  • હાંસોટમાં આવેલ પાકિસ્તાની મહિલાને પરત મોકલાઈ

  • મહિલાના ભાઈનું નિવેદન

  • કરે કોણ અને ભરે કોણ જેવી સ્થિતિ

જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલાબાદ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચના હાંસોટ ખાતે આવેલી 71 વર્ષીય પાકિસ્તાની મહિલાને પણ પરત મોકલવામાં આવ્યા હતા. આ મામલામાં હાંસોટમાં રહેતા તેમના ભાઈનું નિવેદન સામે આવ્યું છે

જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં આતંકવાદી હુમલાબાદ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની સરકારે સૂચના આપ્યા બાદ ભરૂચના હાસોટમાંથી પાકિસ્તાની 71 વર્ષીય મહિલા સઇદા બીવીને પરત મોકલવામાં આવી હતી. 10 વર્ષ બાદ તેઓ તેમના પિયરમાં આવ્યા હતા.સઈદા ચાર દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલી ગઈ હતી.

શોર્ટટર્મ વિઝા મળતા તેઓ પિયર આવ્યા હતા જેને આતંકી હુમલાબાદ પ્રવાસ ટુકાવી પરત જવું પડ્યું હતું ત્યારે સઇદાને પરત મોકલાવતા હાંસોટમાં રહેતા તેમના ભાઈ કમાલ બરફવાળાનું નિવેદન સામે આવ્યું છે કમલ બરફવાળાએ આ અંગે જણાવ્યું હતું કે આ મામલામાં તો કરે કોઈ અને ભરે કોઈ જેવા ઘાટનું નિર્માણ થયું છે આતંકીઓએ કરેલા હીચકારા કૃત્યના કારણે અન્ય નાગરિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શહીદા તારીખ 14મી એપ્રિલના રોજ હાંસોટ આવ્યા હતા જોકે 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલાબાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ્દ અંગેનો નિર્ણય લીધો હતો જે અંગેની જાણ તેઓને સમાચાર માધ્યમો દ્વારા થઈ હતી ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરીનો સંપર્ક કરી તારીખ 23મી એપ્રિલે તેમને પરત મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. હાલ તેઓ પાકિસ્તાન પહોંચી ગયા છે. સરકારે જે નિર્ણય લીધો છે તેનુંઅને દેશના કાયદાનું તેઓ પાલન કરે છે. આ તરફ તેઓએ હિચકારી કૃત્ય બદલ ભારત સરકાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી છે.

Read the Next Article

“વિશ્વ રક્તદાન દિવસ”  : જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિર યોજાય...

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
  • આજે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ

  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ-રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100મી રક્તદાન શિબિર યોજાય

  • મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ તા. 14મી જૂન એટલે કેવિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પરિસરમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજાયેલ 100મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરના આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતોઅને અનેક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના મૃણાલ કાપડિયાસેક્રેટરી રશ્મિકાંત મેનગરરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.