ભરૂચ: ચેતના સંસ્થા- પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા ઝઘડિયાના 12 ગામોમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, અનેકવિધ કાર્યક્રમો યોજાયા

ચેતના સંસ્થા અમદાવાદ દ્વારા પ્રોલાઈફ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી અને ICDS વિભાગના સહયોગથી  ઝઘડિયા તાલુકાના કુલ 12 ગામોમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાય હતી.

New Update
aa

વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે ચેતના સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લામાં વિશિષ્ટ ઉજવણી કરવામાં અવાઈ હતી.

ચેતના સંસ્થા અમદાવાદ દ્વારા પ્રોલાઈફ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી અને ICDS વિભાગના સહયોગથી  ઝઘડિયા તાલુકાના કુલ 12 ગામોમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાય હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોમાં પર્યાવરણીય જાગૃતિ વધારવો, પ્લાસ્ટિક પ્રદૂષણ સામે સંવેદનશીલતા વિકસાવવી અને સમાજના વિવિધ સ્તરોને પર્યાવરણીય કાર્યમાં જોડાવાનો હતો.પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ડે કેર સેન્ટર ઘોડિયાઘર ખાતે વૃક્ષારોપણ,ગામમાં પર્યાવરણ જાગૃતિ માટે સૂત્રોચારો સાથે રેલી,પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે બાળકો અને વાલીઓને માહિતી આપવામાં આવી હતી.આસપાસના વિસ્તારોની સાફસફાઈ અને પ્લાસ્ટિક કચરાનું સંચાલન કેવી રીતે કરવું તેની સમજ નાના ભૂલકાઓને આપવામાં આવી.આ કાર્યક્રમોમાં કુલ 326 બાળકો,21 વાલીઓ,29 કિશોરીઓ,આંગણવાડી વર્કરો અને હેલ્પરો,નર્સબેન, આશાબેન, સરપંચ, MPHW તેમજ સ્થાનિક ICDS ટીમ સહભાગી બની હતી.