ભરૂચ: ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણ, પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી 17 લોકોની કરી અટકાયત

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ ડોહળાયુ હતું.ભરૂચના  પશ્ચિમમાં કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે.

New Update

સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ કોમી તંગદિલી ફેલાઈ હતી.કુકરવાડા વિસ્તારમાં ધાર્મિક તહેવારોના ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામ સામે આવી જતા વાતાવરણ ગરમાયું હતું. આ મામલે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ ડોહળાયુ હતું.ભરૂચના  પશ્ચિમમાં કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ-એ- મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. ત્યારે એકબીજાનાં ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવાતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ઉગ્ર બોલાચાલી બાદ ટોળાં વચ્ચે મારામારીનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી, LCB, એસઓજી,બી ડિવિઝન, તાલુકા પોલીસના પીઆઈ, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો.આ બનાવમાં 2 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલોસે રાત્રીના સમયે તાબડતોડ કાર્યવાહી કરી 17 લોકોની અટકાયત કરી છે અને રાયોટીંગ તેમજ મારામારી સહિતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં  પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે
Read the Next Article

ભરૂચ: અનરાધાર વરસાદના પગલે કીમ નદી બે કાંઠે, હાંસોટના સાહોલ ગામ નજીક નદીના નીરનો ધસમસતો પ્રવાહ

ભરૂચ જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે જેના કારણે હાંસોટના સાહોલ ગામ નજીકથી વહેતી કીમ નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી.

New Update
  • ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ

  • ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો

  • કીમ નદીમાં નવા નીરની થઈ આવક

  • સાહોલ ગામ નજીક નદી બે કાંઠે

  • નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો

ભરૂચ જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે જેના કારણે હાંસોટના સાહોલ ગામ નજીકથી વહેતી કીમ નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી.
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે જેના પગલે નદી નાળા છલકાય રહ્યા છે. જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે  વાલીયા અને નેત્રંગ પંથકમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે. હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. કીમ નદીના નીરનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ તરફ કીમ નદીના પુલ નીચે બનાવાયેલ સ્મશાનનો શેડ પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો બીજી તરફ બેસવા માટે મૂકવામાં આવેલ બાકડા પણ નદીના પાણીમાં જોવા મળ્યા હતા.નદી બે કાંઠે વહેતી થતા આસપાસ આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. હજુ પણ જો નદીનું જળસ્તર વધે તો અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી ગામ નજીક માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે.