ભરૂચ: ભક્તોના દુખડા હરતા માં દશામાંના વ્રતનો પ્રારંભ

ભરૂચમાં આજથી ભક્તોના દુખડા હરનાર માં દશાના વ્રતનો પ્રારંભ થયો છે. માઈ ભક્તોએ શ્રધ્ધાભેર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિમાં લીન બન્યા છે.

New Update

ભરૂચમાં આજથી ભક્તોના દુખડા હરનાર માં દશાના વ્રતનો પ્રારંભ થયો છે. માઈ ભક્તોએ શ્રધ્ધાભેર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિમાં લીન બન્યા છે.

ભરૂચ,અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં રવિવાર અમાસથી દસ દિવસનુ આતિથ્ય માણવા દશામાની સવારી આવી પહોંચતા ભકિતસભર માહોલ ફેલાયો છે.વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓ ખરીદી ઘરે પધરામણી કરાઇ હતી. દશામાની પ્રતિમાઓનું સ્થાપન કરી શ્રદ્ધાળુઓએ દશામાના વ્રતનો આસ્થાભેર પ્રારંભ કર્યો છે.દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ દશામાની આગતા સ્વાગતામાં લીન રહેશે. ભક્તોના દુખડા હર્તા માર્ગ દશામાંના વ્રતનો પ્રારંભ તથા દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં માઈ ભક્તો ભક્તિમાં બનશે.
Read the Next Article

ભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 4 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ

New Update
fdf

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 1 ઇંચ,આમોદ 14 મી.મી.,વાગરા 2.5 ઈંચ,ભરૂચ 16 મી.મી.,ઝઘડિયા 2 ઇંચ,અંકલેશ્વર 11 મી.મી.,હાંસોટ 2 ઇંચવાલિયા 2 ઇંચ,નેત્રંગમાં 18 મી.મી.વરસાદ નોંધાયો હતો