ભરૂચ: GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે સ્પર્ધા યોજાય

ભરૂચના જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી 

New Update
  • ભરૂચના GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન

  • જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આયોજન

  • ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધા યોજાય

  • મનોદિવ્યાંગ બાળકો માટે સ્પર્ધાનું આયોજન

  • 300 બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ

ભરૂચના જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી 
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા રમશે ગુજરાત,જીતશે ગુજરાત હેઠળ ભરૂચના જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં જીલ્લાની કલરવ,અસ્મિતા વિકાસ કેન્દ્ર,આતાપી સહીત ૬ સંસ્થાના ૩૦૦થી વધુ બાળકોએ સોફ્ટબોલ,ચેસ સહિતની રમતોમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધા તારીખ-૭મી ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં અલગ અલગ રમતો રમાડવામાં આવશે.
આ સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં વિજેત સ્પર્ધકો રાજ્યકક્ષાએ રમાનાર સ્પર્ધામાં ભાગ લેશે.આ સ્પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ કલરવ સ્કૂલના સંચાલક નીલાબેન મોદી સહીત વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર : રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે ત્રિનેત્ર આઈ સેન્ટરનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં ત્રિનેત્ર આઈ હોસ્પિટલનો પ્રારંભ

  • સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનો થયો પ્રારંભ

  • મહંત ગંગદાસ બાપુના હસ્તે કરાયો પ્રારંભ

  • નેત્રરોગના દર્દીઓને મળશે આધુનિક સારવાર

  • પાલિકા પ્રમુખ સહિતના આમંત્રિતો રહ્યા ઉપસ્થિત 

અંકલેશ્વરમાં ત્રિનેત્ર આઈ સેન્ટરનો રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના લોકો સુરત,વડોદરા સુધી આંખની તપાસ માટે જવું ન પડે અને મોતિયો માટે પણ લેસરથી ઓપરેશનની સુવિધા અંકલેશ્વરમાં મળી રહે તે માટે ડો.તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના પાલિકાના હોદ્દેદારો,સભ્યો તેમજ ડો.સતીષ ગુપ્તા,ડો.નીરજ ગુપ્તા અને બીજા અન્ય ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં લોકોને સુવિધા મળે તે માટે ડો.તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટર સુવિધાઓથી સજ્જ  હોસ્પિટલ બનાવ્યું છે,અને લોકોને સારી સુવિધાઓ મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી.