ભરૂચ: GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે સ્પર્ધા યોજાય

ભરૂચના જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી 

New Update
  • ભરૂચના GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન

  • જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આયોજન

  • ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધા યોજાય

  • મનોદિવ્યાંગ બાળકો માટે સ્પર્ધાનું આયોજન

  • 300 બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ

Advertisment
ભરૂચના જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી 
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા રમશે ગુજરાત,જીતશે ગુજરાત હેઠળ ભરૂચના જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં જીલ્લાની કલરવ,અસ્મિતા વિકાસ કેન્દ્ર,આતાપી સહીત ૬ સંસ્થાના ૩૦૦થી વધુ બાળકોએ સોફ્ટબોલ,ચેસ સહિતની રમતોમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધા તારીખ-૭મી ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં અલગ અલગ રમતો રમાડવામાં આવશે.
આ સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં વિજેત સ્પર્ધકો રાજ્યકક્ષાએ રમાનાર સ્પર્ધામાં ભાગ લેશે.આ સ્પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ કલરવ સ્કૂલના સંચાલક નીલાબેન મોદી સહીત વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment