ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપીની વલસાડથી કરી ધરપકડ

પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાણા હાલ વલસાડના કપરાડામાં ચૌસાલા અંકીતા હોટલની બાજુમાં પંચરની દુકાન ચલાવે છે અને દુકાનમાં જ રહે છે.

New Update
valsad
ભરૂચ એલ.સી.બી.ના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઝઘડીયાની ટીમને બાતમી મળી હતી કે પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાણા હાલ વલસાડના કપરાડામાં ચૌસાલા અંકીતા હોટલની બાજુમાં પંચરની દુકાન ચલાવે છે અને દુકાનમાં જ રહે છે.
જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી ઇન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાણાને ઝડપી પાડ્યો હતો.