New Update
-
સીઆઈએસએફ દ્વારા કરવામાં આવ્યું આયોજન
-
56માં સ્થાપના દિવસ નિમિત્તે આયોજન
-
સાયકલ રેલીનું આયોજન કરાયું
-
ભરૂચ જંબુસરમાં સ્વાગત કરાયુ
-
75 સાયકલવીરો જોડાયા
સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું જંબુસર અને ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
CISFના સ્થાપના દિવસ નિમિત્તે સીઆઇએસએફ દ્વારા સુરક્ષિત તટ ,સુરક્ષિત ભારત થીમ પર સાયકલ યાત્રાનું 7 માર્ચના રોજ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં એક ગ્રુપ ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ પશ્ચિમ બંગાળના બખ્ખાલીથી સીઆઇએફના 125 કર્મચારીઓ જેમાં 14 સાહસીક મહિલાઓએ ભાગ લીધો છે. જે 6,535 કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે.લખપતથી નીકળેલા સીઆઇએસએફના 75 કર્મચારીઓ જંબુસરના કારેલી ગામે પહોંચતા ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ બાદ આજરોજ આ રેલી ભરૂચ ખાતે આવી પહોંચી હતી. ભરૂચમાં સીઆઈએસેફના જવાનોએ નર્મદા નદીના કિનારે સાફ સફાઈ કરી હતી. કચ્છથી લઈને કન્યાકુમારી સુધીના કોસ્ટલ વિસ્તારમાં આ રેલી ફરી રહી છે અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરી રહી છે.સીઆઇએસએફ કમાન્ડર કૃતિકા નેગી, ઉપકમાન્ડર વી.એસ. પ્રતિહાર અને સીઆઈએસેફના કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા