ભરૂચ: CISFના 56માં સ્થાપના દિવસ નિમિત્તે નિકળેલ સાયકલ રેલીનું સ્વાગત કરાયુ, 75 સાયકલવીરો જોડાયા

સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું જંબુસર અને ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

New Update
  • સીઆઈએસએફ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • 56માં સ્થાપના દિવસ નિમિત્તે આયોજન

  • સાયકલ રેલીનું આયોજન કરાયું

  • ભરૂચ જંબુસરમાં સ્વાગત કરાયુ

  • 75 સાયકલવીરો જોડાયા

Advertisment W3.CSS
સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું જંબુસર અને ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
CISFના સ્થાપના દિવસ નિમિત્તે સીઆઇએસએફ દ્વારા સુરક્ષિત તટ ,સુરક્ષિત ભારત થીમ પર સાયકલ યાત્રાનું 7 માર્ચના રોજ  ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં એક ગ્રુપ ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ પશ્ચિમ બંગાળના બખ્ખાલીથી  સીઆઇએફના 125 કર્મચારીઓ જેમાં 14 સાહસીક મહિલાઓએ ભાગ લીધો છે. જે 6,535 કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે.લખપતથી નીકળેલા સીઆઇએસએફના 75 કર્મચારીઓ જંબુસરના કારેલી ગામે પહોંચતા ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ બાદ આજરોજ આ રેલી ભરૂચ ખાતે આવી પહોંચી હતી. ભરૂચમાં સીઆઈએસેફના જવાનોએ નર્મદા નદીના કિનારે સાફ સફાઈ કરી હતી. કચ્છથી લઈને કન્યાકુમારી સુધીના કોસ્ટલ વિસ્તારમાં આ રેલી ફરી રહી છે અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરી રહી છે.સીઆઇએસએફ કમાન્ડર કૃતિકા નેગી, ઉપકમાન્ડર વી.એસ. પ્રતિહાર અને સીઆઈએસેફના કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ: કોરોનાના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ માત્ર 1 કેસ જ એક્ટિવ

ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા..

New Update
  • રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો

  • એક દિવસમાં 170 નવા કેસ નોંધાયા

  • ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય

  • અત્યારસુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા

Advertisment W3.CSS
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેની સામે ભરૂચમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજયમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં કોરોનાના  717 એક્ટિવ કેસ છે અને  23 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં 170 નવા કેસ નોંધાયા છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય જણાય રહી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે.
આ તરફ ભરૂચ આરોગ્ય વિભાગ પણ સજજ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોરોનાના પોઝિટિવ કેસોની સારવાર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટરની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.