ભરૂચ: CISFના 56માં સ્થાપના દિવસ નિમિત્તે નિકળેલ સાયકલ રેલીનું સ્વાગત કરાયુ, 75 સાયકલવીરો જોડાયા

સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું જંબુસર અને ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

New Update
  • સીઆઈએસએફ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • 56માં સ્થાપના દિવસ નિમિત્તે આયોજન

  • સાયકલ રેલીનું આયોજન કરાયું

  • ભરૂચ જંબુસરમાં સ્વાગત કરાયુ

  • 75 સાયકલવીરો જોડાયા

Advertisment
સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું જંબુસર અને ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
CISFના સ્થાપના દિવસ નિમિત્તે સીઆઇએસએફ દ્વારા સુરક્ષિત તટ ,સુરક્ષિત ભારત થીમ પર સાયકલ યાત્રાનું 7 માર્ચના રોજ  ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં એક ગ્રુપ ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ પશ્ચિમ બંગાળના બખ્ખાલીથી  સીઆઇએફના 125 કર્મચારીઓ જેમાં 14 સાહસીક મહિલાઓએ ભાગ લીધો છે. જે 6,535 કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે.લખપતથી નીકળેલા સીઆઇએસએફના 75 કર્મચારીઓ જંબુસરના કારેલી ગામે પહોંચતા ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ બાદ આજરોજ આ રેલી ભરૂચ ખાતે આવી પહોંચી હતી. ભરૂચમાં સીઆઈએસેફના જવાનોએ નર્મદા નદીના કિનારે સાફ સફાઈ કરી હતી. કચ્છથી લઈને કન્યાકુમારી સુધીના કોસ્ટલ વિસ્તારમાં આ રેલી ફરી રહી છે અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરી રહી છે.સીઆઇએસએફ કમાન્ડર કૃતિકા નેગી, ઉપકમાન્ડર વી.એસ. પ્રતિહાર અને સીઆઈએસેફના કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!

DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....

New Update
  • ગુજરાતમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી

  • સ્માર્ટ મીટર સામે વિરોધના વંટોળ વચ્ચે વધુ એક ઘટના

  • રૂ. 6.29 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

  • DGVCL કચેરીએ રજૂઆત કરતાં વીજ ગ્રાહકને કડવો અનુભવ

  • બિલ સિસ્ટમ દ્વારા બન્યું છેઅમારી કોઈ ભૂલ નથી : કર્મચારી 

Advertisment

ગુજરાત રાજ્યમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વધુ વીજબિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 મળતી માહિતી અનુસારઅંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકેગતરોજ રાત્રીના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.

મકાન માલિકે જણાવ્યુ હતું કેઆટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કેઆ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છેઅમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કેસિસ્ટમ કામ કરે છે કેમાનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે.

Advertisment