ભરૂચ: તંત્રના જાહેરનામાના પગલે દહેજ બાયપાસ રોડ ખાલીખમ, ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની...

New Update
ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની હતી તો બીજી તરફ ડાયવર્ઝનના પગલે નબીપુર ચોકડી પર બે કિલોમીટર સુધી લાંબા ટ્રાફિકજામનું નિર્માણ થયું હતું.
Advertisment

વિકસતા જતા ભરૂચમાં દિનપ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી હતી.ખાસ કરીને દહેજ બાયપાસ રોડ પર એક્સપ્રેસ હાઈવેના એક્ઝિટ અને એન્ટ્રી તેમજ શ્રવણ ચોકડી નજીક નિર્માણ પામી રહેલા નવા ઓવરબ્રિજના પગલે પ્રતિદિન ચક્કાજામની પરિસ્થિતિનું સર્જન થતું હતું ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આ ટ્રાફિકજામમાં ન ફસાઈ તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોને અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામાનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે બન્ને ચોકડી પર પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. ભારે વાહનોની અવરજવર ન થતા સમગ્ર માર્ગ ખાલીખમ દેખાયો હતો અને માર્ગ પર ગણ્યા ગાંઠિયા જ વાહન ચાલકો જોવા મળ્યા હતા. તો બીજી તરફ ડાયવર્ઝનના કારણે નબીપુર ચોકડી પર 2 કિલોમીટર 

સુધી ટ્રાફિકજામના  દ્રશ્યો જોવા મળ્યા હતા.બોર્ડની પરીક્ષા સુધી એટલે કે તારીખ 17મી માર્ચ સુધી આ આ જાહેરનામું અમલમાં રહેશે.આ તરફ આ માર્ગ પર જ આવેલી ભોલાવ જીઆઇડીસીમાં જતા ભારે વાહનો અટવાયા હતા કારણ કે તેઓને નર્મદા ચોકડી પાસે રોકી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતા ભારે વાહનોને પસાર થવા દેવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!

DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....

New Update
  • ગુજરાતમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી

  • સ્માર્ટ મીટર સામે વિરોધના વંટોળ વચ્ચે વધુ એક ઘટના

  • રૂ. 6.29 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

  • DGVCL કચેરીએ રજૂઆત કરતાં વીજ ગ્રાહકને કડવો અનુભવ

  • બિલ સિસ્ટમ દ્વારા બન્યું છેઅમારી કોઈ ભૂલ નથી : કર્મચારી 

Advertisment

ગુજરાત રાજ્યમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વધુ વીજબિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 મળતી માહિતી અનુસારઅંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકેગતરોજ રાત્રીના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.

મકાન માલિકે જણાવ્યુ હતું કેઆટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કેઆ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છેઅમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કેસિસ્ટમ કામ કરે છે કેમાનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે.

Advertisment