ભરૂચ: નેત્રંગ નજીકના ઘાણીખુટમાં ધારીયા ધોધે નયનરમ્ય સ્વરૂપ ધારણ કર્યું, પ્રવાસીઓની સંખ્યામાં વધારો

નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જયારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.આ પ્રવાસન સ્થળ બે પરિબળોનો સામનો કરાવે છે.

New Update
  • ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ ખીલી ઉઠી

  • ધોધ અને નદી નાળા જીવંત થયા

  • નેત્રંગ નજીકના ધારીયા ધોધનો નયનરમ્ય નજારો

  • દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડે છે

  • આહલાદક આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા

ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદના પગલે ભરૂચના નેત્રંગ તાલુકાના ઘાણીખુટમાં ધારીયા ધોધે નયનરમ્ય સ્વરૂપ ધારણ કર્યું  છે. ધોધનો અદભૂત નજારો માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

નર્મદા અને કરજણ સહીત અનેક નદીઓનું સાનિધ્ય ધરાવતા ભરૂચમાં કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો સમાયેલો છે. ભરૂચના નેત્રંગમાં  ઘાણીખૂટ ગામ   નજીક આવેલ ધારીયા ધોધ ચોમાસામાં અનેરું આકર્ષણ જમાવે છે. નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જયારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.આ પ્રવાસન સ્થળ બે પરિબળોનો સામનો કરાવે છે.

એક અહીં આખું કુદરતી સૌંદ્રય છે તો બીજુ ઉપરવાસમાં ભારે વરસાદ બાદ અહીં ગમે ત્યારે ફ્લેશ ફ્લડ ત્રાટકી જવાનો ભય રહે છે.ભરૂચમાં આવેલ ઘાણીખૂટ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું એક અગ્રણી કેન્દ્ર છે.ભરૂચથી નજીક હોવાના કારણે લોકો અહીં એક દિવસનો પ્રવાસ માણે છે. વાલિયા અને નેત્રંગ જેવા પહાડી વિસ્તારમાં પથ્થરોમાંથી પડતા પાણીનો આહલાદક નજારો જોવા રાજ્યભર માંથી લોકો આવતા હોય છે.આ ધોધના આકાશી દ્રશ્યો નયનરમ્ય લાગે છે જે તેની સુંદરતાને અનેક ગણી બેવડાવે છે.

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.