ભરૂચ: વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિન વચ્ચે વિવાદ, સંચાલકો મનસ્વી રીતે વર્તન કરતા હોવાના આક્ષેપ

ભરૂચમાં વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમીન વચ્ચે વિવાદ જોવા મળ્યો છે.શિક્ષકોને છૂટા કરવાના નિર્ણય સામે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • ભરૂચમાં આવેલી છે શાળા

  • વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળાનો વિવાદ

  • શિક્ષકો અને એડમીન વચ્ચે વિવાદ

  • એડમીન મનસ્વી રીતે વર્તન કરતા હોવાના આક્ષેપ

  • શાળા સંચાલકોએ કર્યો પોતાનો સ્વબચાવ

ભરૂચમાં વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમીન વચ્ચે વિવાદ જોવા મળ્યો છે.શિક્ષકોને છૂટા કરવાના નિર્ણય સામે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચમાં આવેલી વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળાનું પરિણામ ઘટતા એડમિન દ્વારા કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા મામલો વિવાદિત બન્યો હતો. શિક્ષકોનો દાવો છે કે જો તેઓ કોઈ પણ જાતની રજૂઆત કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે. તેઓએ એ પણ જણાવ્યું કે શાળાનું સંચાલન એવા લોકોને સોંપવામાં આવ્યું છે.જેમને શિક્ષણ વિષયક કોઈ અનુભવ નથી. આ એડમિન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં નિર્ણય લેતા નથી.
આ તરફ શાળાના એડમિને જણાવ્યુ હતું કે અમે શાળાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરિક સ્તરે શિક્ષકોની બદલીઓ કરી છે. જોકે કેટલાક શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોઇ આ વિવાદ ઉભો થયો છે.
Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.