ભરૂચ: સ્કૂલ વેન ચાલકોની હડતાળના પગલે વાલીઓને મુશ્કેલી, કલેકટરને રજુઆત

ભરૂચમાં આજરોજ સ્કૂલ વેન ચાલકોની હડતાલના પગલે વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે સ્કૂલ વેન ચાલકોએ કલેકટર તેમજ ધારાસભ્યને રજૂઆત કરી હતી.

New Update

ભરૂચમાં આજરોજ સ્કૂલ વેન ચાલકોની હડતાલના પગલે વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે સ્કૂલ વેન ચાલકોએ કલેકટર તેમજ ધારાસભ્યને રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના 650 થી વધુ પ્રાઇવેટ સ્કૂલવાહન ચાલકોની હડતાળના પેહલા દિવસે જ વાલીઓએ વરસતા વરસાદમાં સંતાનોને શાળાએ લેવા મુકવા જવા દોડ લગાવી પડી હતી.સ્કૂલ વર્ધિના પ્રાઇવેટ વાહન ચાલકોએ આજે કલેકટર કચેરીએ ભેગા થઈ RTO દ્વારા અપાતા 10 હજારના મેમામાં રાહત કરી આપવા રજુઆત કરી હતી. સાથે જ પ્રાઇવેટ વાહનમાંથી મેક્ષી કે ટેક્ષી પાર્સિંગ કરાવવાના વર્ષે 40 થી 45 હજારના ખર્ચમાં રાહત આપવા પણ માંગ કરાઈ હતી.પ્રાઇવેટ પાર્સિંગની સ્કૂલવાનના ચાલકોને RTO ટાર્ગેટ કરી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.
તેઓએ સલામતીના તમામ નિયમોનું પાલન કરવા જણાવી 5 થી 6 બાળકો જ બેસાડવા પરવડે તેમ નહિ હોવાનો સુર વ્યક્ત કર્યો હતો.હડતાલ પર ઉતરેલા સ્કૂલ વાન ચાલકોએ જે બાદ ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજુઆત કરી હતી. વિદ્યાર્થીઓની સલામતી અને કાયદાનું પાલનએ રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવાનું અરૂણસિંહ રણાએ જણાવી, વાલીઓ અને વાહન ચાલકો પર આર્થિક ભારણ ના આવે તે માટે  સરકારને બનતા  પ્રયાસ અને રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
Read the Next Article

ભરૂચ: પાવન સલીલા માં નર્મદામા જવારાના વિસર્જન સાથે ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રતની પુર્ણાહુતી

ભરૂચ શહેર અને જિલ્લામાં જવારા વિસર્જન સાથે ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રતની પુર્ણાહુતી કરવામાં આવી હતી.5 દિવસ કુવારીઓએ ઉપવાસ રાખી ભક્તિભાવ પૂર્વક વ્રત કર્યું હતું

New Update
  • ગૌરીવ્રત જયાપાર્વતીવ્રતની પુર્ણાહુતી

  • 5 દિવસ કુંવારીકાઓએ રાખ્યા ઉપવાસ

  • ભોળાશંભુ-માતા પાર્વતીની કરવામાં આવી આરાધના

  • નર્મદા નદીમાં જવારાઓનું વિસર્જન કરાયુ

  • ગતરોજ કરાયુ હતું જાગરણ

ભરૂચ શહેર અને જિલ્લામાં જવારા વિસર્જન સાથે ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રતની પુર્ણાહુતી કરવામાં આવી હતી.5 દિવસ કુવારીઓએ ઉપવાસ રાખી ભક્તિભાવ પૂર્વક વ્રત કર્યું હતું

ભરૂચ જિલ્લામાં ગૌરીવ્રતની જવારા વિસર્જન સાથે પુર્ણાહુતિ થઇ હતી.મનગમતો ભરથાર મેળવવા માટે 5 દિવસના અલુણા વ્રત દરમિયાન ભોળાનાથ અને પાર્વતી માતાની કુવારીકાઓએ અરાધના કરી હતી. વ્રત દરમ્યાન શિવાલયોમાં કુંવારીકાઓની ભીડ જોવા મળી હતી. શનિવારની રાત્રિએ જાગરણ કર્યા બાદ રવિવારે સવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે જવારાઓનું નર્મદા નદી તથા અન્ય જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતુ.ભરૂચ શહેરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે ચાલતી નાવડીઓના સંચાલકો પરિવારજનો પાસેથી જવારા લઈને નાવડીમાં મૂકી વચ્ચે જઈને નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું.કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે આ અભિગમ દાખવવામાં આવ્યો હતો.