ભરૂચ: દેહદાતા-ચક્ષુદાતાઓના પરિવારજનોનું કરાયુ સન્માન, સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજાયો કાર્યક્રમ

ભરૂચની રૂગટા સ્કૂલ ખાતે શ્રીમતિ જયાબહેન મોદી મલ્ટીસ્પેસલિટી હોસ્પિટલ, જી.સી. નાહર રોટરી આઇ બેંક, રોટરી ક્લબ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થાના દ્વારા દાતા અને દાતા પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું

New Update

ભરૂચમાં કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન

દેહદાતા-ચક્ષુદાતાના પરિવારજનોનું સન્માન

જયા બહેન મોદી હોસ્પિટલ દ્વારા કાર્યક્રમ યોજાયો

વિવિધ સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો

આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચની રૂગટા સ્કૂલ ખાતે શ્રીમતિ જયાબહેન મોદી મલ્ટીસ્પેસલિટી હોસ્પિટલ, જી.સી. નાહર રોટરી આઇ બેંક, રોટરી ક્લબ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થાના દ્વારા દાતા અને દાતા પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું
અંકલેશ્વરની શ્રીમતિ જયાબેન મોદી મલ્ટીસ્પેસલિટી હોસ્પિટલ, જી.સી. નાહર રોટરી આઇ બેંક, રોટરી ક્લબ અંકલેશ્વર, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને સહયોગી સંસ્થાના દ્વારા ભરૂચની રૂગટા સ્કૂલ ખાતે અંગદાતા,દહેદાતા અને ચક્ષુદાતાઓને પારિવારિક સ્મરણાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.જે કાર્યક્રમનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં દાતા અને દાતાઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં અનીર્દેશદાસ સ્વામી અને યશોનિધિદાસ સ્વામી તેમજ  હરીશ જોશી,જુગલ કે.રુઈયા સહીત આમંત્રિતો અને વિવિધ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.