ભરૂચ: જંબુસરમાં ટેકાનાં ભાવે તુવેર વેચવા ખેડૂતોની પડાપડી, ટ્રેક્ટરોની લાગે છે લાંબી કતાર

જંબુસરમાં છેલ્લા દસ-બાર દિવસથી ટેકાના ભાવે તુવેરની ખરીદી થઈ રહી છે ત્યારે 23,000 જેટલી બેગની ખરીદી કરવામાં આવી છે રોજના 70 થી 80 ટ્રેક્ટરમાં તુવેર ભરીને ખેડૂતો ટેકાના વેચવા આવે છે.

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરાયો

  • 7550 રૂપિયાના ભાવે તુવેરની ખરીદી

  • ટ્રેક્ટરોની લાગે છે લાંબી લાઇન

  • ખેડૂતોને આપવામાં આવે છે ટોકન

Advertisment
ભરૂચના જંબુસરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે વહેલી સવારથી જ ખેડૂતોએ લાઈનમાં લાગી જવું પડે છે
ભરૂચના જંબુસર પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ તુવેરનું વાવેતર કર્યું છે ત્યારે તુવેરના સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જંબુસર તાલુકામાં સરકારના ટેકાના ભાવ પર તુવેર ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉમંગ જોવા મળી રહ્યો છે. ગુજરાત એગ્રો નામની એજન્સી દ્વારા યુનિયન જીનની બાજુના કમ્પાઉન્ડમાં તુવેર ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે વહેલી સવારથી જ ખેડૂતો  ટ્રેક્ટરોમાં તુવેર ભરીને લાઈનમાં લાગી જાય છે. દિવસભર રાહ જોતા રહેવા છતાં પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદાઈ શકે તેવી વ્યવસ્થા અપૂરતી જણાઈ રહી છે.
પ્રતિ કવિન્ટલ 7,550 રૂપિયાના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ચાલુ છે જેને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જંબુસરમાં છેલ્લા દસ-બાર દિવસથી ટેકાના ભાવે તુવેરની ખરીદી થઈ રહી છે ત્યારે 23,000 જેટલી બેગની ખરીદી કરવામાં આવી છે ખેડૂતોને અગવડ ન પડે તે માટે ટોકન સિસ્ટમ પણ રાખવામાં આવી છે. રોજના 70 થી 80 ટ્રેક્ટરમાં તુવેર ભરીને ખેડૂતો ટેકાના વેચવા આવે છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment