ભરૂચ: જંબુસરમાં ટેકાનાં ભાવે તુવેર વેચવા ખેડૂતોની પડાપડી, ટ્રેક્ટરોની લાગે છે લાંબી કતાર

જંબુસરમાં છેલ્લા દસ-બાર દિવસથી ટેકાના ભાવે તુવેરની ખરીદી થઈ રહી છે ત્યારે 23,000 જેટલી બેગની ખરીદી કરવામાં આવી છે રોજના 70 થી 80 ટ્રેક્ટરમાં તુવેર ભરીને ખેડૂતો ટેકાના વેચવા આવે છે.

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરાયો

  • 7550 રૂપિયાના ભાવે તુવેરની ખરીદી

  • ટ્રેક્ટરોની લાગે છે લાંબી લાઇન

  • ખેડૂતોને આપવામાં આવે છે ટોકન

ભરૂચના જંબુસરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે વહેલી સવારથી જ ખેડૂતોએ લાઈનમાં લાગી જવું પડે છે
ભરૂચના જંબુસર પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ તુવેરનું વાવેતર કર્યું છે ત્યારે તુવેરના સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જંબુસર તાલુકામાં સરકારના ટેકાના ભાવ પર તુવેર ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉમંગ જોવા મળી રહ્યો છે. ગુજરાત એગ્રો નામની એજન્સી દ્વારા યુનિયન જીનની બાજુના કમ્પાઉન્ડમાં તુવેર ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે વહેલી સવારથી જ ખેડૂતો  ટ્રેક્ટરોમાં તુવેર ભરીને લાઈનમાં લાગી જાય છે. દિવસભર રાહ જોતા રહેવા છતાં પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદાઈ શકે તેવી વ્યવસ્થા અપૂરતી જણાઈ રહી છે.
પ્રતિ કવિન્ટલ 7,550 રૂપિયાના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ચાલુ છે જેને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જંબુસરમાં છેલ્લા દસ-બાર દિવસથી ટેકાના ભાવે તુવેરની ખરીદી થઈ રહી છે ત્યારે 23,000 જેટલી બેગની ખરીદી કરવામાં આવી છે ખેડૂતોને અગવડ ન પડે તે માટે ટોકન સિસ્ટમ પણ રાખવામાં આવી છે. રોજના 70 થી 80 ટ્રેક્ટરમાં તુવેર ભરીને ખેડૂતો ટેકાના વેચવા આવે છે.
Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.